Home » SURAT : જાણો સુરતમાં આવેલ આ અનોખા રામ મંદિર વિશે, જ્યાં રામનામનો ગવાય છે મહિમા
SURAT : જાણો સુરતમાં આવેલ આ અનોખા રામ મંદિર વિશે, જ્યાં રામનામનો ગવાય છે મહિમા
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
66
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત
“રામ સે બડા રામ કા નામ” શ્રીરામનામનું અનોખો મંદિર આવેલું છે. સુરતના અડાજણ વિસ્તારમા ,જ્યાં ભક્તો ભગવાનના નહિ પરંતુ રામના નામના દર્શન કરી પ્રદક્ષિણા ફરે છે. સામાન્ય રીતે હિન્દુ મંદિરોમાં આપણે ભગવાનજીની મૂર્તિ જોઇ હશે, ભગવાનની મૂર્તિની સ્થાપના થતી હોવાનું જણાયું હશે. પરંતુ સુરતમાં એક એવું મંદિર આવેલું છે, જ્યાં રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે રામ નામ સ્તંભની સ્થાપના જોઇ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.
ભગવાનની પૂજા અર્ચના કરવાનું એક અનેરું મહત્વ હોય છે. સમય સમય પર એટલે કે સવાર સાંજ હિન્દુ મંદિરમાં મોટાભાગે ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં આવે છે, મોટી સંખ્યમાં ભક્તો પણ પૂજામાં જોડાય છે. આ અંગે મંદિરના મહરાજ પ્રકાશ ભાઈ જણાવે છે કે, સુરતમાં આ એક યુનિક ધાર્મિક સ્થળ છે જ્યાં “૧૧૦૦ કરોડ મંત્ર સંખ્યા” ધરાવતી ૩ લાખથી વધુ રામનામ મંત્રલેખન સુંદર સોના જેવું આકર્ષણ પાડે એવા બોક્ષમાં બોક્ષ નંબર અને મંત્રની સ્ખ્યા લખી સ્થાપન કરવામાં આવી છે, સાથે જ મંત્રલેખનની દિવ્ય ઉર્જા જગતમાં ફેલાય તેવા હેતુસર પંચઘાતુ નિર્મિત શ્રી વિશ્વશાંતિ રામસ્તંભનું નિર્માણ કરાયું છે.જેની નિયમ પૂર્વક ૧૨ પ્રદક્ષિણા કરવાથી દરેક રામપ્રેમીની ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે, તેમજ પ્રભુ શ્રીરામની દિવ્ય અનુભૂતિ થતાં પરમ શાંતિનો અનુભવ થાય છે.
આપણે ક્યારે જોયું નહી હશે કે, કોઈ હિન્દુ મંદિરમાં ભગવાનજીની મૂર્તિની સ્થાપનાની જગ્યા એ તેમના ફોટોની જગ્યા એ રામનું નામ અને તેમના મંત્ર લખાયા છે, જો કે આજે પણ મોટા પ્રમાણમાં મંત્ર બુકો મંદિરે અર્પણ કરવામાં આવી રહી છે. આ અંગે ભકત કાજલ ચોહાણ કહે છે કે – અહી કઈક અલગ એજ અનુભૂતિ થાય છે. રામજીની પ્રતિમા નહિ પણ તેમનું નામ અને અનોખો સ્તંભ ખૂબજ આકર્ષિત કરે છે, સાથે જ અહી માનતા પણ છે કે અહી 12 પ્રદક્ષિણા કરવાથી રામ પ્રેમીઓની મનોકામના પૂરી થઈ જાય છે એટલે ખૂબ જ આનંદનો અનુભવ અહીં આવીને થાય છે.
મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટએ વિનામૂલ્યે જમીન ફાળવી હતી. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થયું હતું. અહીનો રામ સ્તંભ વિવિધ દાતાઓના સહયોગ થી ઊભો થયો છે. જેની ચારેબાજુ રામ નામ લખાયેલુ છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે.
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.