શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શકિતપીઠમા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અંબાજી મંદિરમાં પહોંચ્યું છે. હાલમા આ યંત્રને અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે મુકવામાં આવ્યું છે. 1 કરોડના ખર્ચે આ શ્રી યંત્રને બનાવવામા આવ્યુ છે.
4 મહિનાની અંદર આ શ્રીયંત્ર તૈયાર કરાયું
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 4 મહિનાની અંદર આ યંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે 30 ઓકટોબરે પીએમ મોદી શ્રીયંત્રનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આજે ચંદ્ર ગ્રહણ નિમિત્તે અંબાજી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોટુ મેરુ પંચ ધાતુ શ્રી યંત્ર આશરે 2200 કિલો વજન ધરાવે છે. મેરુ યંત્રની સફળતા માટે 30 કિલો વજનના પ્રતિકૃતિ સાથે 20 એપ્રિલે પાલનપુર થી 17 રાજ્યોની યાત્રા કરાઇ હતી અને ચારધામ ખાતે પણ યાત્રા કરાઇ હતી.
30 ઓકટોબરે પીએમ મોદી અંબાજી આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજી મંદિરના દર્શન કરવા આવી રહ્યા છે અને તેઓ દર્શન કરીને ડભોડા ખાતે જાહેર સભા સંબોધવા જવાના છે,ત્યારે અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર આવી પહોંચ્યું છે ત્યારે તેનું લોકાર્પણ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે