યુવરાજસિંહ જાડેજાએ હાલ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા ખુલાસાઓ કર્યા છે. તેમણે ડમી કૌભાંડમાં નામોની સ્પસ્ટતાઓ કરી છે. તેમણે કહ્યું કે, મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતા તે જાહેર કરું છું. ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે.
ડમી ઉમેદવાર કાંડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યક્તિના નામ ન આપવા બદલ નાણાંકીય વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઋષિના માતાએ વિનંતી કરી હતી એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મે જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વિડિયો છે.
ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ. મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. ગઈકાલે ચક્કર આવ્યા અને મૂર્છા આવી જતા SOG સમક્ષ હાજર થઈ શક્યો નહોતો.