ડમીકાંડના તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં ડમીકાંડ બાદના તોડકાંડમાં યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો તેના સાળા કાનભા ગોહિલને પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં.
પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
1 કરોડ રૂપિયાની ખંડણી માગવા મામલે યુવરાજસિંહ અને તેના માણસો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરવામાં સફળતા મળી હતી. બાકીના રૂપિયા રિકવર કરવાના બાકી હોય પોલીસ દ્વારા આજે વધુ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.