ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજથી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે.. આ ક્રાઇમ કોન્ફરન્સમાં એક વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે.. આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ખાસ ઉપસ્થિત છે. તો સાથે-સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે.
ક્રાઇમ કોન્ફરન્સને સંબોધતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્ય લેવલની ક્રાઈમ કોન્ફરન્સના મુદ્દાઓ જિલ્લા લેવલે પોલીસ સ્ટેશન સુધી નહીં પહોંચે ત્યાં સુધી ક્રાઈમ કોન્ફરન્સનો કોઇ મતલબ નહીં રહે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે
રાજ્ય લેવલની ક્રાઈમ કોન્ફરન્સના મુદ્દાઓ જિલ્લા લેવલે પોલીસ સ્ટેશન સુધી નહીં પહોંચે ત્યાં સુધી ક્રાઈમ કોન્ફરન્સનો કોઇ મતલબ નહીં રહે. ભૂતકાળમાં એવા અનુભવો થયા છે કે સિનિયર અધિકારીઓએ પોતાના નીચેના અધિકારીઓને ક્રાઈમ કોન્ફરન્સનું કોઈ પ્રેઝન્ટેશન કર્યુ જ નહોતું… અને એટલેજ આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડીસીપીને પણ જોડવાનો નિર્ણય લીધો.
તો આ આ તરફ ક્રાઇમ કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ અધિકારીઓને ટકોર કરી હતી.. તેમણે કહ્યું કે પોલીસ સામાન્ય વ્યક્તિ અને વીઆઇપી વચ્ચે ભેદ ન રાખે, કાયદો તમામ લોકો માટે સમાન છે.. આ ઉપરાંત તેમણે કહ્યું કે આપણે આરોપીને જેલમાં સુધરવા માટે મોકલીએ છીએ, સજા એવી હોવી જોઇએ કે ઉદાહરણ બેસે ..