જો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની રાહત રકમ આપવી જોઈએ. આ સિવાય જો 0.2 સેમી માંસ પણ બહાર આવ્યું છે તો તેની જગ્યાએ ઓછામાં ઓછું 20 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએ. રખડતા કૂતરાઓ દ્વારા કરવામાં આવેલા હુમલા સાથે સંબંધિત 193 કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો.
રખડતા કૂતરાઓ કરડવાને લઈને નવી ચર્ચા શરૂ
હાઈકોર્ટની ખંડપીઠના આ આદેશથી રખડતા કૂતરાઓ કરડવાને લઈને નવી ચર્ચા શરૂ થઈ શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાને લઈને ચર્ચા ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં જ પ્રખ્યાત ચા કંપની વાઘ બકરીના સીઈઓ પરાગ દેસાઈ પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. તેની પાસેથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી રખડતા કૂતરાઓના હુમલાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય ગાઝિયાબાદમાં તાજેતરમાં જ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું
આવા કેસમાં વહીવટીતંત્ર જવાબદાર રહેશે
વાઘ બકરી ટીના CEOના મોતથી ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું અને લોકો સોશિયલ મીડિયા પર માંગ કરવા લાગ્યા કે તેમની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે. કૂતરા કરડવાના કેસની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું, ‘આવા કેસમાં વહીવટીતંત્ર જવાબદાર રહેશે.’ હાઈકોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢને કૂતરા કરડવાના કે અન્ય રખડતા પ્રાણીઓના હુમલાના કેસમાં કેટલું વળતર આપવું તે નક્કી કરવા માટે એક સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. રખડતા પ્રાણીઓમાં ગાય, બળદ, નીલગાય, ગધેડા, કૂતરા, ભેંસ અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે.
સમાજમાં ધ્રુવીકરણ
હાઈકોર્ટે કહ્યું કે, રખડતા પ્રાણીઓના હુમલા સંબંધિત કેસોમાં વળતર માટે રચાયેલી સમિતિમાં ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર, એસડીએ, એસપી અથવા ડીએસપી જેવા અધિકારીઓને સામેલ કરવા જોઈએ. રખડતા કૂતરાઓ દ્વારા હુમલાની ચર્ચા વધી રહી છે ત્યારે કોર્ટનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલું જ નહીં, આવી બાબતોને લઈને સમાજમાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો—-NEW YEAR WISHES: PM મોદી એ પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા