કર્ણાટકમાં સિદ્ધારમૈયાની નવી સરકારે શનિવારે શપથ લીધા. હવે સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તે મોટો પ્રશ્ન છે. વાસ્તવમાં કોઈ નેતા સ્પિકર બનવા તૈયાર નથી કારણ કે છેલ્લા 19 વર્ષમાં જે પણ આ ખુરશી પર બેઠા છે તે ચૂંટણી હારી ગયા છે.
સ્પિકરની ખુરશી સાથે જોડાય ગઈ છે અશુમાન્યતા
કર્ણાટકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ જેમને સ્પીકર પદની ઓફર કરવામાં આવી રહી છે તેઓ આ જવાબદારી લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. તે આ ખુરશી સાથે જોડાયેલી અશુભ માન્યતાથી ડરી રહ્યાં છે. કર્ણાટકમાં વિધાનસભાના સ્પીકર બનનારા નેતાઓ હંમેશા તે પછીની ચૂંટણીમાં હાર્યાં છે અને તેમની રાજકીય કારકિર્દી પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે.
કોઈ ચૂંટણી હાર્યાં, કોઈની કારકિર્દીને આંચકો લાગ્યો
અગાઉની ભાજપ સરકારમાં વિધાનસભાના સ્પીકર રહેલા વિશ્વેશ્વર હેગડે કાગેરી પણ ચૂંટણી હારી ગયા હતા. તેમની હારથી પાર્ટીને આંચકો લાગ્યો અને એક દબંગ નેતા તરીકે તેમની તાકાત પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. રાજકિય પંડીતો પ્રમાણે વર્ષ 2004 બાદથી જે કોઈ પણ આ પ્રતિષ્ઠિત પદ પર બેસ્યુ છે તેની રાજકિય કારકિર્દી પર આંચકો લાગ્યો છે.
- કે.આર. પેટ સીટ પરથી કૃષ્ણા જો એસ.એમ.કૃષ્ણાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં 2004માં વિધાનસભા અધ્યક્ષ બન્યા અને વર્ષ 2008માં ચૂંટણી હારી ગયા.
- 2013માં વિધાનસભા અધ્યક્ષ બનનારા સિનિયર કોંગ્રેસી કગોડૂ થિમ્મપ્પા વર્ષ 2018માં ચૂંટણી હારી ગયા.
- વર્ષ 2016માં આ ખુરશી પર બેસનારા પાંચ ટર્મ ધારાસભ્ય રહેલા કોલીવાડ પણ વર્ષ 2018ની સામાન્ય ચૂંટણી હાર્યા અને વર્ષ 2019ની પેટા ચુંટણી પણ હાર્યાં
- કોંગ્રેસ – જદ (એસ) સરકારમાં 2018માં સ્પિકર રહેલા રમેશ કુમાર 10 મે થયેલી ચૂંટણીમાં હારી ગયા હતા.
અસ્થાયી અધ્યક્ષ
કર્ણાટક વિધાનસભાની સ્પિકરના પદને લઈને રહેલી માન્યતાને લીધે કોંગ્રેસ પાર્ટીને આ પદ માટે સિનિયરોને મનાવવા મુશ્કેલ થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસના સિનિયર નેતા આર.વી. દેશપાંડે સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના ત્રણ દિવસિય સત્રમાં અસ્થાયી અધ્યક્ષ બનશે અને સત્ર દરમિયાન નવા અધ્યક્ષને ચૂંટવા પડશે.
પદ સ્વિકારવા કોઈ રાજી નહી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, ડૉ. જી. પરમેશ્વરે સીધો જ આ પ્રસ્તાવનો અસ્વિકાર કરી દીધો અને તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. પાર્ટી ટી.બી. જયચંદ્ર, એચ.કે.પાટિલ અને વાઈ.એન. ગોપાલકૃષ્ણ જેવા સિનિયર નેતાઓમાં કોઈ એકને સ્પિકર બનાવવા પર વિચાર કરી રહી છે. જોકે તેમાંથી કોઈ પણ નથી રાજી નથી. જે નેતાઓને આ પદની ઓફર કરવામાં આવી રહી છે તેઓ કહી રહ્યાં છે કે તેઓ અધ્યક્ષ બનવાને બદલે ધારાસભ્ય બન્યા રહેવાનું પસંદ કરશે.
આ પણ વાંચો : 2000 નોટ બદલવા શું કરવું? શું કોઈ ફોર્મ ભરવું પડશે? જાણો SBI એ નોટો બદલવા શું કહ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.