અહેવાલઃ આનંદ પટણી, સુરત
સુરતની વિદ્યાકુંજ શાળા દ્વારા ચંદ્રયાન ત્રણ સફળ થાય તે માટે એક ખાસ પ્રકારની ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી છે 22 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે સાત જેટલા રંગોળી કલાકારોએ સતત 22 કલાક મહેનત કરીને ચંદ્રયાન ફ્રન્ટના પ્રક્ષેપણનું આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે ચંદ્રયાન-3 સફળ થાય એ મનોકામના સાથે જ આ રંગોળી બનાવી તેની આસપાસમાં બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે
આજે શ્રી હરિ કોટાથી ચંદ્રયાન ત્રણનું પ્રક્ષેપણ કરવામાં આવશે. ચંદ્ર ઉપર તિરંગો લહેરાવવાના આ મિશન ને પાર પાડનારો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન ત્-3ને પ્રક્ષેપણ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચંદ્રયાન ત્રણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓ ચંદ્રયાનત્રણ ની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બપોરે બે વાગ્યે ને 35 મિનિટે ભારત ઇતિહાસ રચવા તરફ એક ડગલું માંડશે. ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચંદ્રયાનને આજે પ્રક્ષેપણ કરવામાં આવશે એટલે કે ચંદ્રયાન ને આજે ચંદ્ર ઉપર મોકલવા માટેનું પ્રક્ષેપણ કરાશે. ચંદ્રયાન બે વખતે ભારત દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ થોડી કચાશ રહેવાને કારણે ચંદ્રયાન બે મિશન માત્ર 99% સફળ થયું હતું જોકે ચંદ્રયાન ત્રણને સંપૂર્ણ સફળતા મળે તે માટે દેશભરમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે સાથે સાથે વૈજ્ઞાનિકોનો હોંસલો વધારવા માટે પણ અભિનંદન પાઠવી રહ્યા છે શ્રી હરિ કોટા થી આજે ચંદ્રયાન ત્રણનું પ્રક્ષેપણ કરવામાં આવશે
સુરતમાં પણ ચંદ્રયાન ત્રણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતની વિદ્યાકુંજ શાળા દ્વારા ચંદ્રયાન ત્રણ ની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. શાળાના બાળકો દ્વારા ગણેશજી અને હનુમાનજીની પ્રાર્થના કરવામાં આવી રહી છે. ચંદ્રયાન ત્રણ સફળ થશે તો વૈજ્ઞાનિકોનો હોસલો બુલંદ થશે. અને ઇસરો દ્વારા અન્ય મિશન પણ પાર પાડવામાં વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ત્રણની સફળતાનો ફાયદો મળશે. વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન-3 ને સફળ કરવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી છે