છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે એક રત્ન કલાકારે ઉમદા પહેલ કરી છે કવાંટ તાલુકાના વાંટડા ગામનો હીરા ઘસવાનું કામ કરતો યુવાન તેના આજુ બાજુના ગામડામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને વિના મુલ્યે ટ્યુશન આપી તેમને આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાલસીંગભાઇ નામનો આ રત્ન કલાકાર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા અને ટવા નજીક અવેલા વાંટડા ગામના એક કાચા મકાનમાં રહે છે. ગરીબી માં જીવન વિતાવતા વાલસીંગભાઈએ બાળપણમાં પિતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી, જેથી તેઓને ધોરણ 12 પછી નો અભ્યાસ છોડી, પાનવાડ ખાતે હીરા ઘસવાના મજૂરી કામમાં જોતરાય ગયા, તેઓ સવારના 9 વાગ્યા થી. 5 વાગ્યા સુધી હીરા ઘસવાનું કામ કરી ઘરે આવી 7 વાગ્યા થી 8 વાગ્યા સુધી 33 જેટલાં બાળકો ને આજે પણ વિના મુલ્યે ટ્યુશન આપી રહ્યાં છે.વાલસીંગ રાઠવા ની આર્થિક પરિસ્થિતિ ભલે નબળી હોય તેણું પોતાનું મકાન પણ કાચું હોય અને તે પોતાના મકાનમાં બાળકો ને બેસાડી ભણાવી પણ શકે તેમ નહીં હોવાથી, છેલ્લા બે વર્ષ થી તેઓના સંબંધી ના મકાનમાં ભણાવી રહ્યાં છે.
આ અંગે હીરાઘસું યુવાન વાલસીંગ રાઠવા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારા ગામના બાળકો રમતાં હતાં ત્યારે બાળકો ને સામાન્ય પ્રશ્નો પૂછતાં ખૂબ નબળું શિક્ષણ જણાય આવતા, મને ભારે દુઃખ થયું હતું, મારા પિતાના અવસાન બાદ મારા પરિવાર ની જવાબદારી મારે માથે આવી પડતાં મારી ભણવાની ઈચ્છા હોવા છતાં મારે મજબૂરીવશ ધોરણ 12 પછી અભ્યાસ છોડી હીરા ઘસવાનું કામ કરવું પડ્યું જેથી મને રોજ઼ ત્રણસો રૂપિયા નો રોજ઼ મળતો, સવારે 9વાગે હીરા ઘસી ને સાંજે 5 વાગે ઘરે આવી મારા ગામની આજુ બાજુ માં સાંજે મફત ટ્યુશન આવાની વાત ગામ લોકોને કરી, જો કે મારું ઘર કાચું અને નાનું હોવાથી હું 30 થી 35 બાળકો ને મારા ઘરમાં બેસાડી શકું એવી વ્યવસ્થા નહીં હોવાના કારણે મારા પાડોશી ને બાળકો ને બેસાડવા મકાન આપ્યું, જે આવાસના મકાનમાં સાંજે 6 વાગે બાળકો આવે છે અને 8 વાગ્યા સુધી જે બાળક જે વિષય માં નબળું જણાય તે વિષય ને ભણાવું છું, મે જે ભણાવ્યું એ બાળકો ને બાળકો કેટલું યાદ રહ્યું એ માટે દર સપ્તાહેટેસ્ટ લઉં છું અને છેલ્લા બે વર્ષ થી મે આ રીતે બાળકો ને ભણાવ્યા એના થી બાળકો ના શિક્ષણ માં ઘણો બધો સુધારો આવતા હવે બાળકો ને પણ મજા આવે છે જેથી બાળકો સાંજે 6 વાગે ટ્યુશન ની જગ્યાએ હાજર થઇ જાય છે અને સાંજે 8 વાગે જ્યાં સુધી વાલી લેવા નહીં આવે ત્યાં સુધી બાળકો ટ્યૂશન કરે છે, જો કોઈ બાળક ના વાલી બાળક ને લેવા નહીં આવે તો મારી મોટર સાયકલ પર ઘરે મૂકી આવું છે
આદિવાસી બહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્વ દરમિયાન જિલ્લા ની પાંચ શાળા ઓમાં નબળા શિક્ષણ બાબતે શિક્ષણ સચિવ ને લખેલા પત્રથી ગુણાવતાવિહીન શિક્ષણની ચર્ચાઓ હાલ ગુજરાતભરમાં જોર પકડ્યું છે, ત્યારે સરકાર, સમાજ, અને સિસ્ટમ આવા ઉચ્ચ વિચારો ધરાવતા, વાલસીંગ ગામે ગામ ઉભા કરે તોય આદિવાસી બાળકોના શિક્ષણમાં ગુણાવતા લાવી શકાય તેમ છે