Operation Sindoor : ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી
- ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી
- મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો
- ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી છે. જેમાં આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી માર્યો છે. મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો છે. ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો. તથા રઉફના મોતની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે. રઉફ આઈસી-814ન હાઈજેકનો માસ્ટર માઇન્ડ હતો. તથા વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અઝહર હતો તથા 2008ના 26-11 તથા પુલવામા હુમલામાં પણ સંડોવણી હતી.
-ઓપરેશન સિંદૂરમાં આતંકના આકાનો સફાયો
-આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી માર્યો
-મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર
-ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન થયો હતો ઘાયલ
-રઉફના મોતની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી
-આઈસી-814ના હાઈજેકનો માસ્ટર માઇન્ડ હતો રઉફ
-વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી હતો… pic.twitter.com/A2u4Fje96r— Gujarat First (@GujaratFirst) May 8, 2025
રઉફ કંદહાર હાઇજેકિંગનો માસ્ટરમાઈન્ડ હતો
રઉફ કંદહાર હાઇજેકિંગનો માસ્ટરમાઈન્ડ છે. તેનું નામ ઘણા આતંકવાદી હુમલાઓમાં સામે આવ્યું છે. આ પહેલા મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા તથા તેના ચાર સાથીઓ પણ માર્યા ગયા હતા. આ ઘટનામાં રઉફ પણ સામેલ છે. પાકિસ્તાનના બહાવલપુરમાં ભારતના હવાઈ હુમલામાં અઝહરનો પરિવાર નાશ પામ્યો છે. જૈશ-એ-મોહમ્મદે એક નિવેદન જારી કરીને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. આતંકવાદી સંગઠન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં મસૂદના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા છે જ્યારે પરિવારના ઘણા સભ્યો ઘાયલ થયા છે.
હુમલામાં પોતાના પરિવારના વિનાશ પછી, મસૂદ અઝહરે કહ્યું કે જો હું પણ મરી ગયો હોત તો સારું થાત
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું હતું. પીએમ મોદીએ છેલ્લા એક અઠવાડિયાથી સતત યોજાયેલી બેઠકોમાં સ્પષ્ટ કર્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે તેમની પત્નીઓ વિધવા બની હતી. આવી સ્થિતિમાં, ભારતે એક કડક સંદેશ આપવો પડ્યો કે આતંકવાદીઓને આ રીતે ભાગી જવા દેવા નહીં. આ હુમલામાં અત્યાર સુધીમાં 90 આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ હવાઈ હુમલા માટેના બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ અંતર્ગત બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: India-Pakistan tension : ગુજરાતના કચ્છમાં ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું


