Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ઓલપાડનાં કીમ નજીક મોટી દુર્ઘટના! ટ્રેનની અડફેટે બે આશાસ્પદ યુવાનોનાં મોત

સુરતનાં ઓલપાડનાં કીમ નજીક કુડસડ ગામ પાસે ગોઝારી ઘટના બની છે. ટ્રેકને ક્રોસ કરતી વેળાએ ટ્રેનની અડફેટે આવતા બે યુવકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે કીમ પોલીસ ત્યાં પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને યુવાનોના વાલી-વારસ સુધી પહોંચવાની તજવીજ આદરી છે. દુર્ઘટના કેવી રીતે થઈ? મૃતક યુવકો કોણ છે? તેની તપાસ થઈ રહી છે.
surat   ઓલપાડનાં કીમ નજીક મોટી દુર્ઘટના  ટ્રેનની અડફેટે બે આશાસ્પદ યુવાનોનાં મોત
Advertisement
  1. Surat ઓલપાડનાં કીમ નજીક ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત
  2. કીમ નજીક કુડસદ ગામે બે યુવકોના થયાં મોત
  3. રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા તે દરમિયાન બની ઘટના
  4. મૃતક બંનેની ઉંમર 20 થી 25 વર્ષ હોવાનું અનુમાન
  5. ઘટનાને પગલે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

Surat : સુરતનાં ઓલપાડનાં (Olpad) કીમ નજીક ગોઝારી ઘટના બની છે. રેલવે ટ્રેકને ક્રોસ કરતી વેળાએ ટ્રેનની અડફેટે આવતા બે આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે કીમ પોલીસની (Kim Police) ટીમ ત્યાં પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને યુવાનોના વાલી-વારસ સુધી પહોંચવાની તજવીજ પણ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : ગિરનાર લીલી પરિક્રમા રદ, કાદવ-કીચડને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

Advertisement

Surat ઓલપાડનાં કીમ નજીક ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઓલપાડનાં કીમ નજીક આવેલા કુડસડ ગામે આ ઘટના બની છે. બે યુવાનો રેલવે ટ્રેક ક્રોસ (Railway Track) કરતા હતા તે દરમિયાન બંને ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ દુર્ઘટનામાં બંને આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને બંને યુવકના મૃતદેહોને પીએમ અર્થ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી, CM ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું

મૃતક બંને યુવકની ઉંમર 20-25 વર્ષની હોવાનાં અનુમાન

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક બંને યુવકની ઉંમર 20-25 વર્ષની હોવાનાં અનુમાન છે. દુર્ઘટના કેવી રીતે બની ? મૃતક યુવકો કોણ છે? સહિતની તપાસ પોલીસે આરંભી છે. આ સાથે પોલીસે મૃતકોના વાલી-વારસ સુધી પહોંચવાની તજવીજ પણ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અરેરાટી વ્યાપી હતી.

આ પણ વાંચો - Gandhinagar : ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી રદ, ગુજકોમાસોલના ચેરમેન સંઘાણીએ કેમ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી?

Tags :
Advertisement

.

×