Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtraમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો છતાં રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 6 દિવસ થઈ ગયા હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો નક્કી કરવામાં આવ્યો નથી એકનાથ શિંદેએ પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવવામાં આવ્યું તેની ચર્ચાઓ...
maharashtraમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો છતાં રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં
Advertisement
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 6 દિવસ થઈ ગયા
  • હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો નક્કી કરવામાં આવ્યો નથી
  • એકનાથ શિંદેએ પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે
  • રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવવામાં આવ્યું તેની ચર્ચાઓ

Maharashtra Assembly Election Results : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election Results)ના પરિણામો આવ્યાને 6 દિવસ થઈ ગયા છે. પરિણામોમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો નક્કી કરવામાં આવ્યો નથી. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે અને એકનાથ શિંદેએ પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવવામાં આવ્યું તેની ચર્ચાઓ થઈ રહી છે. ચાલો જાણીએ આનું કારણ.

વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થયો

વાસ્તવમાં, મહારાષ્ટ્રની 14મી વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ ગયો છે. બંધારણીય પ્રણાલી અનુસાર વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા નવી સરકારની રચના થવી જોઈએ. તે જ સમયે, 26 નવેમ્બરે જ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.હાલમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી શિંદે મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી રહેશે.

Advertisement

રાષ્ટ્રપતિ શાસન પર કાયદો શું કહે છે?

એવા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે જ્યારે કોઈ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં ન હોય અથવા સરકાર રચાય તે પહેલાં વિધાનસભાની મુદત પૂરી થઈ જાય. આ સિવાય રાજ્યમાં ગઠબંધન તૂટવાને કારણે સરકાર લઘુમતીમાં આવી ગઇ હોય અને મુખ્યમંત્રી નિર્ધારિત સમયમાં બહુમતી સાબિત ના કરી શકે. આવી સ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી શકે છે. બંધારણની કલમ 356 અને કલમ 365માં રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ છે.

Advertisement

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવાયું?

વાસ્તવમાં ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સરકારના ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નવી વિધાનસભાના તમામ ધારાસભ્યોના નામ પ્રકાશિત કર્યા છે. અધિકારીઓએ નવા ધારાસભ્યોના નામ સાથેના ગેઝેટની નકલો પણ રાજ્યપાલને સોંપી છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 73 મુજબ, ચૂંટાયેલા સભ્યોની સૂચના રાજ્યપાલને રજૂ કર્યા પછી વિધાનસભાની રચના કરવામાં આવે છે. તે મુજબ 15મી વિધાનસભા અસ્તિત્વમાં આવી ગઇ છે.

આ પણ વાંચો----Maharashtra CM: ફડણવીસ જ નહીં,હવે આ બે નેતાઓના નામ ચર્ચામાં

આ કારણે રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવ્યું નથી

ચૂંટણી પરિણામો જાહેર થયા પછી અને વિધાનસભાની મુદત પૂરી થઈ જાય પછી, રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરતો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી શકે છે. જો કે, આ અહેવાલ ત્યારે જ મોકલવામાં આવે છે જ્યારે રાજ્યપાલને લાગે છે કે રાજ્યમાં રાજકીય અસ્થિરતા છે અને કોઈ ગઠબંધન અથવા પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી હાલ તેવા સંજોગો એવા નથી.

આપમેળે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નિષ્ણાતો શું કહે છે?

એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાર્યકાળ પૂરો થતાં જ રાષ્ટ્રપતિ શાસન આપોઆપ લાગુ થઈ જશે. જો કે, નિષ્ણાતો કહે છે કે આવી કોઈ બંધારણીય જવાબદારી નથી, કારણ કે ભૂતકાળમાં પણ ઘણી વખત મુખ્યમંત્રીએ વિધાનસભાની મુદત પૂરી થયા પછી શપથ લીધા છે.

શું શપથ લેવામાં પહેલા વિલંબ થયો છે?

2004 માં, વિધાનસભાની મુદત 19 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી, પરંતુ મુખ્યમંત્રીએ 1 નવેમ્બરના રોજ શપથ લીધા હતા. એ જ રીતે, 2009 માં, 11મી વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરના રોજ સમાપ્ત થયો હતો, જ્યારે મુખ્યમંત્રી દ્વારા શપથ 7 નવેમ્બરના રોજ લેવામાં આવ્યા હતા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2019માં પણ 13મી વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થયો હતો, પરંતુ શપથ ગ્રહણ સમારોહ 28 નવેમ્બરે યોજાયો હતો.

કેટલા દિવસ પછી મુખ્યમંત્રીએ શપથ લેવા જરૂરી છે?

ભારતના બંધારણમાં આ અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી, પરંતુ વિધાનસભાનો કાર્યકાળ ચોક્કસપણે 5 વર્ષનો છે. આ નવેમ્બરના છેલ્લા અઠવાડિયે જો કોઈ પક્ષ સરકાર બનાવવાનો દાવો ન કરે તો રાજ્યપાલ સૌથી વધુ મત મેળવનાર પક્ષને સરકાર બનાવવા માટે કહે છે.

મહારાષ્ટ્રમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું?

મહારાષ્ટ્રમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત, રાજ્ય 17 ફેબ્રુઆરી, 1980 થી 112 દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું. ત્યારે શરદ પવાર મુખ્યમંત્રી હતા અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને બરતરફ કર્યા હતા. આ પછી 28 સપ્ટેમ્બર 2014થી 31 ઓક્ટોબર 2014 સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. 2019માં, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉથલપાથલ વચ્ચે 12 થી 23 નવેમ્બર સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું.

આ પણ વાંચો----Mahayutiની 2 બેઠક અચાનક જ રદ..નવા-જૂનીના એંધાણ

Tags :
Advertisement

.

×