અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિંયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે આ મેચની શરૂઆત પહેલા એરફોર્સની સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં એર શો બતાવવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ એરફોર્સના ફાઈટર જેટ દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રકારના દૃશ્યો જોઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બલ્લેબાજો દ્વારા ચોક્કા અને છક્કા લગાવવામાં આવશે ત્યારે આકાશમાં કેપ્ટન સૂર્યકિરણની ટીમ દ્વારા અવકાશમાં અદ્ભુત પ્રદર્શન કરીને લોકોના દિલ ધડકાવવામાં આવશે.