ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે પોલીસના તરફેણમાં નિર્ણય આપ્યો છે અને શિવુભાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહત્વનું છે કે શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસ સામે હાજર થાય તે પહેલા શિવુભાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ એક રાજકીય ષડયંત્ર છે પરંતુ પોલીસ તપાસ બાદ તેમણે યુ-ટર્ન માર્યો છે. તેમણે ગઇકાલે આપેલ નિવેદન મુદ્દે જણાવ્યું કે, મેં આ સ્ટેટમેન્ટ એક વ્યક્તિના કહેવાથી આપ્યું હતું. તેમજ વધુમાં તેણે જણાવ્યું કે, મને કાયદા ઉપર ભરોસો છે.
તમને જણાવી દઇ કે, ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે એ ડિવિઝન પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. શિવુભા ગોહિલે કહ્યું હતું કે આ રાજકીય ષડયંત્ર છે. પૈસાની કોઇ લેતીદેતી થઇ નથી.