Home » ઓક્ટોબર સુધીમાં નળથી જળ પહોંચાડવાની સિદ્ધિ ગુજરાત હાસલ કરશે : ઋષિકેશ પટેલ
ઓક્ટોબર સુધીમાં નળથી જળ પહોંચાડવાની સિદ્ધિ ગુજરાત હાસલ કરશે : ઋષિકેશ પટેલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
194
શહેરના સિંધુુભવન રોડ પર અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી 65 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે. આઈકોનીક 1010 હોસ્પિટલના ઈનોગ્રેશનમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. તેમણે હોસ્પિટલની અદ્યતન સુવીધાઓ વિશે જણાવ્યું ઉપરાંત PMJAY યોજના અંતર્ગત નાણાની ચુકવણી જલ્દી કરાશે અને રાજ્યમાં પાણીની પોકારને લઈને સરકાર સજ્જ હોવાનો દાવો કર્યો.
આઈકોનીક 1010 હોસ્પિટલના સીએમડી પરાગ શેઠે જણાવ્યુ હતું કે, આઇકોનીક 1010 હોસ્પિટલ 65 બેડની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ જેવી હૃદયને લગતી બીમારીઓની સારવાર અને સર્જરી સુવિધાઓ રાહત દરે ઉપલબ્ધ હશે. હાલમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ઉંચા રેટ્સ સામે નીમ્ન દરે અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવશે. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર રહેલા આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખાનગી હોસ્પિટલોને PMJAY અંતર્ગત નાણા નથી ચુકવાયા હોઈ આયુષ્માન કાર્ડ ખાનગી હોસ્પિટલમાં નથી ચાલી રહ્યા તે બાબતે પુછતા જણાવ્યુ હતું કે, આયુષ્માન કાર્ડમાં 4 લાખ કરતા ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળે એવું આયોજન છે, ફરિયાદો અમારી પાસે આવી છે કેમ કે ક્લેમની ચૂકવણીમાં વિલંબ થયાનું સામે આવ્યું છે. આગામી એક મહિનામાં બાકીના ક્લેમ ચૂકવી દેવાશે. હાલમાં 750 ખાનગી અને સરકારી હોસ્પિટલમાં આ કાર્ડ ચાલે છે અને મોટા ભાગના ક્લેમ રેશિયો ખાનગી હોસ્પિટલમાંથી આવે છે. ત્યારે સરકાર ક્લેમની ચુકવણી ઝડપી થાય એવા પ્રયાસ કરી રહી છે. બ્લોક કાર્ડના વિષય સામે આવી રહ્યા છે જેમાં આવકનો દાખલો રજૂ ના કરાયો હોય એમાં આવા કાર્ડની નોંધણી થવી જોઈતી હતી, એવા કિસ્સા દર્દીએ સેવા લીધી અને સેવા અપાઈ જેથી સમસ્યા થઈ હતી. એનું નિરાકરણ લાવી રહ્યા છીએ. ત્યારે સમસ્યાઓ દૂર થઈ છે, જે દાવાઓ બાકી છે એની ચુકવણી કરી દેવાશે.
બીજી તરફ રાજ્યમાં આગઝરતી ગરમી વચ્ચે પાણીની સમસ્યાને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે, પીવાના પાણીની કોઇ સમસ્યા હાલમાં નથી. આ વખતે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સમસ્યા હતી, સૌરાષ્ટ્રના પથરાળ ભૂમિને કારણે તે નીચે જતું હતું. જુથ યોજના બનાવી અમે કામ કરી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય છે, ડુંગરમાંથી પાણી વહી દરિયામાં વહી જાય છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ ઓછો પડ્યો, ડેમમાં ઓછું પાણી ભરાયુ હતું, નર્મદામાં પણ ગઈ વખતે પાણી ન હતું. તમને એવું લાગે છે કે પાણીની સમસ્યા છે, પણ નર્મદાને કારણે પીવાનું પાણી ઉપલબ્ધ છે. અને અમે હેલ્પલાઈન 1916 નંબર આપ્યો છે, કોઈ જગ્યાએ સમસ્યા હોય તો કોલ આવે અમે સમસ્યા દૂર કરી રહ્યા છીએ. ઓછામાં ઓછા ટેન્કર ચાલે એવા પ્રયાસો છે. નલ સે જલ યોજનામાં આગળ વધી રહ્યા છીએ જેમાં ઓક્ટોબર સુધીમાં ગુજરાતને નળથી પાણી પહોંચાડવાની સિદ્ધિ ગુજરાત હાંસિલ કરશે. કામ મુજબ સરકાર રૂપિયા આપે છે, સૌથી વધુ રૂપિયા ગુજરાતે મેળવ્યા છે અને જે ગામમાં વ્યવસ્થા નથી ત્યાં ટેન્કર પહોંચાડી રહ્યા છીએ. 18000 ગામો છે, 400 ગામોમાં પાણીની સમસ્યા છે, જેને પહોંચી વળીશું. બનાસકાંઠામાં 3 ગામો છે, સૌરાષ્ટ્રમાં કેટલાક ગામો પણ પાણીની સમસ્યા હોય એવી ફરિયાદ આવી છે, જેને દૂર કરવામાં સફળતા મળી રહી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject