Home » દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થનાઓ કરી,દેવાલયો બહાર સુધી લોકોનો મેળાવડો
દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થનાઓ કરી,દેવાલયો બહાર સુધી લોકોનો મેળાવડો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
74
વર્ષનો અંતિમ માસ એટલે ખ્રિસ્તી બંધુ નો પવિત્ર માસ માનવામાં આવે છે અને નાતાલ પર્વ સાથે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ૨૫મી ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે ભગવાન ઈસુના જન્મદિવસની વધાવવા માટે ભરૂચના (Bharuch)દેવાલયો ખ્રિસ્તી (Christians temples)બંધુઓથી ઉભરાય ઉઠ્યા હતા અને દિવસ દરમિયાન પણ દેવા લાયો માં વિશેષ પ્રાર્થનાઓ (Prayer)સાથે દીવાલયોની બહાર ભગવાન ઈસુના જીવન ચરિત્ર ઉપર ગભાણ પ્રદર્શન પણ પણ રજૂ કરવામાં આવ્યું છે
વર્ષના અંતિમ માસ એટલે ડિસેમ્બર અને આ માસમાં ક્રિસમસ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે ખ્રિસ્તી સમુદાયમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આવી જ એક માન્યતા અનુસાર ઈ.સ.પૂર્વે 336માં રોમના રાજાએ ૨૫ ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આના થોડા સમય પછી, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ જુલિયસે સત્તાવાર રીતે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુનો જન્મદિવસ ઉજવવાની જાહેરાત કરી હતી
ઈસુના જન્મદિવસની વધાવવા માટે પ્રાર્થના સભામાં જોડાયા
ત્યારથી દર વર્ષે 25 ડિસેમ્બરે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે 25મી ડિસેમ્બરની વહેલી સવારે એટલે કે 24મી ડિસેમ્બરની રાત્રે ૨૫મી ડિસેમ્બરની સવાર 12ના ટકોરે ખ્રિસ્તી બંધ હોય ભરૂચના દેવાલયોમાં ભગવાન ઈસુના જન્મદિવસની વધાવવા માટે પ્રાર્થના સભામાં જોડાયા હતા સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા સંકલ્પ સાથે દેવાલયોમાં પણ વિશેષ પ્રાર્થના સભા યોજાયા હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે રાત્રિએ12ના ટકોરે મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવાલય પણ ખ્રિસ્તી બંધુઓથી ઉભરાય ઉઠતા દેવાલયની બહાર પણ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓનો મેળાવડો જામ્યો હતો અને પ્રાર્થના સભાનો લાભ લીધો હતો
દેવાલાયોમાં ક્રિસમસની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે
દેવાલાયોમાં ક્રિસમસની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ક્રિસમસના કેટલાક દિવસો પહેલા, ખ્રિસ્તી સમુદાયો દ્વારા કેરોલ્સ (ખાસ ગીતો) ગાવામાં આવે છે અને પ્રાર્થના પણ કહેવામાં આવે છે. દરેક ચર્ચમાં ભગવાન ઇસુના જન્મને લગતી ટેબ્લો સજાવવામાં આવી છે. 24-25 ડિસેમ્બરની રાત્રે, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને 25 ડિસેમ્બર ના દિવસ દરમિયાન પણ પ્રાર્થના સભાઓ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. ભરૂચમાં વિવિધ દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ ભગવાન ઈસુના જન્મદિવસ સાથે વિશેષ પ્રાર્થનાઓ થકી ભગવાન ઈસુના આર્શીવાદ મેળવવાના પ્રયાસો કર્યા હતા
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ૧૨ના ટકોરે ખ્રિસ્તી બંધુઓ ભગવાન ઈસુના જન્મને વધાવા ઉમટીયા..
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે રાત્રીએ ૧૨ના ટકોરે પણ દેવાલય ખાતે ભગવાન ઈસુના જન્મદિવસની વધાવા સાથે નાતાલ પર્વની ઉજવણી માટે તથા પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધો ઉમટ્યા હતા. દેવાલય ઉભરાય ઉઠતા કેટલાય લોકો શિયાળાની ઠંડી વચ્ચે દેવાલયની બહાર પણ ઉપસ્થિત રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject