Home » ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે. ત્યારે સમયનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ઉનાળામાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓમાં ભેળ સેળ કરી મોટી આવક રળી લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે આવાં ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓને નસિયત કરવા અવાર-નવાર પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી દ્વારા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
બુધવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધીકારીઓ સહિતની ટીમ દ્વારા શહેરના ચાર જુદા જુદા સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી કેરીના રસ, શિખંડ મીઠો માવો અને મિઠાઈના સેમ્પલ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની કચેરીના અધીકારી વિપુલભાઈ ચૌધરીએ શહેરના વિવિધ વિસ્તારોમાં બુધવારના રોજ જુદી જુદી ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં ઉનાળાની સીઝનમાં ઉપયોગી ખાદ્ય સામગ્રી જેવા કે કેરી રસ, શીખંડ, માવો, મિઠાઈ સહિતની વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળ સેળ કરાતી હોવાની બાબતને લઈને બુધવારના રોજ ટીમ દ્વારા શહેરના બુકડી ચોકમાં આવેલા ‘ગણેશ સ્વીટ માર્ટ’ નામની દુકાન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મઠ્ઠો લુઝ અને મીઠો માવો લુઝના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો આજ વિસ્તારમાં આવેલા ‘ચંદન સ્વીટ એન્ડ મઠ્ઠો પાર્લર ‘ નામની દુકાન ઉપર પણ આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મઠ્ઠો લુઝ અને કેસર પિસ્તા મઠ્ઠો લુઝના સેમ્પલ લેવામાં આવ્યા છે.
બીજી તરફ સિધ્ધપુર ચાર રસ્તા માર્કેટમાં આવેલ ‘ન્યુ પટેલ રસ’નામની દુકાન પરથી શંકાસ્પદ કેરીનો રસ લુઝના સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે જલારામ મંદિર સામે આવેલા ‘શ્રીજી રસ ભંડાર’ નામની દુકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ જણાતા કેરીના રસ લુઝના સેમ્પલ મેળવી તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું અને ઉપરોક્ત ચારેય સ્થળ પરથી કુલ 14 કિલો મિઠો માવો, 5 કિલો મિઠાઈ, 8 કિલો મઠ્ઠો અને 56 કિલો કેરીના રસનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે હાથ ધરવામાં આવેલા આકસ્મિક તપાસ કામગીરીમાં કચેરી અધીકારી ચેકિંગ હાથ ધર્યું હતું. પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની આકસ્મિક તપાસને લઈને ખાદ્ય પદાર્થોમાં ભેળ સેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject