Home » પાકિસ્તાન જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને 19 જૂને મુક્ત કરાશે
પાકિસ્તાન જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને 19 જૂને મુક્ત કરાશે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
99
ભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે અને ભારતીય માછીમારોને કરાચીની જેલમાં રાખવામાં આવે છે. માછીમાર આગેવાનોની અનેકવાર રજૂઆતોના પગલે પાકિસ્તાન સરકારે 20 ભારતીય માછીમારોને 19 જૂન 2022ના રોજ મુક્ત કરવાનો નિર્ણય લેતા માછીમાર સમાજમાં ખુશીની લહેર છવાઈ છે.
હજુ પણ 500થી વધુ માછીમારો કરાંચીમાં કેદ
ભારતીય જળ સીમા પરથી ભારતીય માછીમારોને બોટ સાથે પકડી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ વર્ષોથી અપહરણ કરી જાય છે. અત્યાર સુધીમાં 500થી વધુ માછીમારો પાકિસ્તાનમાં આવેલી કરાચીની જેલમાં સડી રહ્યા છે અને પરિવારનો મોભી જ ન હોય તો પરિવારનું ભરણ પોષણ કોણ કરે? આમ અપહરણની આ ઘટનામાં અનેક પરિવારો નોંધારા બન્યા છે. 19 જૂને 20 ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે તેને આવકાર્યો છે. પરંતુ હજુ 500થી વધુ માછીમારો કરાચીમાં છે. તેઓને પણ વહેલી તકે છોડવામાં આવે તેવી માંગ માછીમાર આગેવાન જીવન જુંગી એ કરી છે.
આ ઉપરાંત 1100 જેટલી બોટ પણ પાકિસ્તાનમાં જપ્ત કરાઈ છે અને તે બોટ માછીમારોની આજીવિકાનું સાધન હોય આથી આ જપ્ત કરાયેલા બોટને પણ છોડવમાં આવે તેવી માંગ જીવન જુંગી એ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject