ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા સાયબર ફ્રોડથી બચવાના ઉપાય
હર્ષભાઈએ કહેલા સ્ટેપ ફોલો કરશો તો સાયબર ફ્રોડથી બચી જશો
“ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની નથી જરૂર”
“રિલ્સ બનાવવી ખોટું નથી પણ સેફ્ટીનું ધ્યાન રાખવું જરૂરી”
“અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારો”
“શરમ ન કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો”
“કેટલાક લોકો બદનામીના ડરે આગળ નથી આવતા”
સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નવી ટેકનોલોજીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો.
આ પણ વાંચો : Surat : શખ્સે રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો નેવે મુક્યો