ભાજપના સાંસદ વરુણ ગાંધી બાદ હવે તેમની માતા સાંસદ મેનકા ગાંધીએ પણ બેરોજગારીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને નોકરી મળશે કે નહીં તેની અપેક્ષાઓ ઘટી ગઈ છે. ઓછી અપેક્ષાઓને કારણે વ્યક્તિ હિંસા તરફ આગળ વધ્યા છે.
Home » વરુણ ગાંધી બાદ મેનકા ગાંધીએ પણ સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે …
વરુણ ગાંધી બાદ મેનકા ગાંધીએ પણ સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે …
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
71
મીડિયા સાથે વાત કરતા ભાજપના સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે કોવિડ બાદ દેશમાં ઘણી બેરોજગારી છે. બેરોજગારી ખતમ કરવા તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વધતી બેરોજગારીની સાથે હવે લોકોને નોકરી મળશે કે નહીં તેની કોઈ આશા નથી. તેમણે કહ્યું કે જ્યારે અપેક્ષાઓ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હિંસા તરફ જાય છે. બેરોજગારી દૂર કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.
મેનકા ગાંધીએ પોતાની જ સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ મોદી સરકાર કહી રહી છે કે તેણે લોકોને રોજગારી આપી છે. આ સાથે જ તેમની જ પાર્ટીના સાંસદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મેનકા ગાંધીના પુત્ર બીજેપી સાંસદ વરુણ ગાંધીએ બેરોજગારીને લઈને ઘણી વખત સરકાર પર નિશાન સાધ્યું છે.
મેનકા ગાંધીને રખડતા પશુઓની સમસ્યા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જ્યારે તમે દૂધ પીશો ત્યારે ગાય વધશે, કાં તો તમે લોકો દૂધ પીવાનું બંધ કરો. ગૌશાળાઓમાં ગાયો ભૂખે મરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે ગૌશાળાઓના નામે સરકારી નાણા વેડફાય છે. તો કાં તો તમે દૂધ પીવાનું બંધ કરો. મેનકા ગાંધી પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. આ માટે તેણે એક સંસ્થા પણ બનાવી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject