Home » દિલ્હીમાં થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત
દિલ્હીમાં થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
69
દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાનની જન્મજયંતિ પર શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. ત્યાપ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિક પોલીસ મહાનિદેશક પ્રશાંત કુમારે કહ્યું કે આ અંગે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં અત્યંત તકેદારી રાખવા અને સતત પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને પણ સતર્ક રહેવાના આદેશ અપાયા છે.
દિલ્હી હિંસા અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ જાહે કરીને અધિકારીઓને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તમામ અધિકારીઓએ મોરચો પણ સંભાળી લીધો છે. ગાઝિયાબાદ હોય, બાગપત હોય કે મેરઠ, દરેક જિલ્લામાં પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. તમામ શહેરોમાં અધિકારીઓ રોડ પર ઉતરીને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છે. પોલીસ ઉપદ્રવીઓનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાનજીની જન્મજયંતિ પર શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઉપરાંત અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. ઘાયલોને જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ ઉપદ્રવીઓની ઓળખ માટે વિસ્તારના સીસીટીવી પણ સ્કેન કરી રહી છે.
આ ઘટનામાં અનેક રાઉન્ડ ફાયરિંગ અને આગચંપીના પણ અહેવાલ છે. ડઝનબંધ વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં અગાઉ થયેલી હિંસા બાદ હવે તેને દિલ્હી ફાઇલ્સ પાર્ટ-2 કહેવામાં આવી રહી છે. જો કે આ ઘટના પર તમામ રાજકીય પક્ષોએ શાંતિ જાળવવાની અપીલ કરી છે, પરંતુ હવેથી તેના રાજકીય ફાયદા અને ગેરફાયદાની ચર્ચા પણ દબાયેલી જીભમાં શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસા પાછળ મતદારોને ધાર્મિક આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ હોઈ શકે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject