Home » અસદુદ્દીન ઓવૈસીની જાહેરાત,’ બચ્ચે દો હી અચ્છે ‘ કાયદાનું સમર્થન નહીં કરે; આપ્યું આ કારણ
અસદુદ્દીન ઓવૈસીની જાહેરાત,’ બચ્ચે દો હી અચ્છે ‘ કાયદાનું સમર્થન નહીં કરે; આપ્યું આ કારણ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
80
દેશમાં વધતી જતી વસ્તીને લઈને હાલમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને એક વર્ગ તેને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યો છે. દરમિયાન એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે તેઓ એવા કોઈ પણ કાયદાનું સમર્થન કરશે નહીં, જેમાં બે બાળકોની મર્યાદા નક્કી કરવામાં આવી હોય.
સી.એમ યોગીના નિવેદન પર હંગામો
ઓવૈસીએ ANI સાથેની વાતચીતમાં કહ્યું, ‘આપણે ચીનની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ. હું આવા કોઈપણ કાયદાને સમર્થન નહીં આપું, જે બે બાળકોની નીતિ બનાવવાની વાત કરે છે. તેનાથી દેશને કોઈ ફાયદો નહીં થાય.અગાઉ ઓવૈસીએ કહ્યું હતું કે વસ્તી વધારા માટે મુસ્લિમોને જવાબદાર ન ઠેરવવામાં આવે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય ગર્ભનિરોધકનો ઉપયોગ કરવામાં સૌથી આગળ રહ્યો છે. તેમણે આ વાત યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનના જવાબમાં કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ એક વર્ગની વસ્તી વધવાથી અરાજકતા ફેલાઈ જશે અને વસ્તીનું અસંતુલન ન હોવું જોઈએ. ઓવૈસીએ તેના જવાબમાં કહ્યું હતું કે, ‘તેમના જ સ્વાસ્થ્ય મંત્રી કહે છે કે વસ્તી નિયંત્રણ માટે કોઈ કાયદાની જરૂર નથી. મુસ્લિમો ગર્ભનિરોધક ઉપાયોનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
ઓવૈસીએ કહ્યું- શું મુસ્લિમો ભારતના રહેવાસી નથી?
મુસ્લિમોની વસ્તીમાં ઝડપથી વધારો થવાના સવાલ પર ઓવૈસીએ કહ્યું હતું કે, ‘શું મુસ્લિમો ભારતના રહેવાસી નથી? જો આપણે ઇતિહાસ જોઈએ તો અહીંના મૂળ વતનીઓ આદિવાસી અને દ્રવિડ જ છે. યુપીમાં, કોઈપણ કાયદા વિના, 2026-30 વચ્ચે પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી શકે છે. ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે ભારતનો પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. 2030 સુધીમાં તેમાં સ્થિરતા જોવા મળશે. આપણે અહીં ચીનની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ. હાલમાં જ આ ચર્ચા સી.એમ યોગી આદિત્યનાથના નિવેદનથી શરૂ થઈ છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો એક જ વર્ગની વસ્તી ખૂબ ઝડપથી વધશે તો અરાજકતા ફેલાશે.
આસામ, આંધ્ર જેવા રાજ્યોમાં વસ્તીનિયંણનો કાયદો અમલમાં
તમને જણાવી દઈએ કે વસ્તી નિયંત્રણની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આસામ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ એવો નિયમ છે કે જો કોઈને બેથી વધુ બાળકો હોય તો તે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકે નહીં. બીજેપી નેતા ગિરિરાજ સિંહ પણ વસ્તીને લઈને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. જો કે, આ અંગે ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે તેઓ એવા કોઈપણ કાયદાનું સમર્થન કરશે નહીં, જેમાં બે બાળકો રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી હોય. તેમણે કહ્યું કે અમે ચીનની જેમ ભૂલનું પુનરાવર્તન કરી શકીએ નહીં. આમ કરવું ખોટું હશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject