Home » ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમન્ના આજે થશે રિટાયર્ડ
ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમન્ના આજે થશે રિટાયર્ડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
80
ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમન્ના આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ નિવૃત્ત થશે, ત્યારબાદ ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિત આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. ચીફ જસ્ટિસ જસ્ટિસ એનવી રમન્નાએ તેમના પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ કરી હતી, જે બાદ કેન્દ્ર સરકારે પણ તેને મંજૂરી આપી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશે આશા વ્યક્ત કરી હતી કે તેઓ કાનૂની સમુદાયની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત વિદાય કાર્યક્રમમાં સીજેઆઈએ કહ્યું, “મને લાગે છે કે તમે મને જે અપેક્ષાઓ આપી હતી તે હું પૂર્ણ કરી શક્યો છું. મેં દરેક સંભવિત રીતે મુખ્ય ન્યાયાધીશ તરીકે મારી ફરજો નિભાવી છે.
ગઈકાલે એટલે કે ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના એ એક કેસની સુનાવણી કરતા કહ્યું કે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે તેની પાસે દેશમાં સમય નથી.આ સાથે વકીલ નીરજ કિશન કૌલને આરામથી દલીલ કરવાનું કહેતાં તેમણે કહ્યું કે ઉત્તર ભારતના વકીલો કોર્ટમાં વધુ બૂમો પાડે છે, જ્યારે દક્ષિણ ભારતના વકીલો શાંત રહે છે. વાસ્તવમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને નીરજ કિશન કૌલ, જેઓ કોન્ટ્રાક્ટના વિવાદ પર દલીલ કરી રહ્યા હતા, તેઓ એક મુદ્દા પર અથડામણ કરી હતી. જ્યારે અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે નીરજ કિશન કૌલે દરમિયાનગીરી કરી હતી.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ કહ્યું કે ખૂબ જોરથી બોલવાથી તમારા સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે, તમારી જાતનું ધ્યાન રાખો. આ સાથે તેમણે કહ્યું કે તેઓ હવે ઘણું કહેવા માંગે છે, પરંતુ હવે તેમના કાર્યકાળના અંતિમ દિવસે જ કહીશ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject