સિલક્યારામાં 41 શ્રમિકો જીવનનો જંગ જીત્યા છે અને 17 દિવસ ટનલમાં ઝઝૂમ્યા બાદ બહાર આવ્યા છે. ચિન્યાલીસૌર હોસ્પિટલ ખાતે શ્રમિકોને રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ શ્રમિકો સાથે કરી વાત કરી છે અને શ્રમિકોના ધૈર્ય અને સાહસની PM એ સરાહના કરી છે. વધુમાં વડાપ્રધાન મોદીએ રેસ્ક્યૂ ટીમનો પણ આભાર માન્યો છે.