Download Apps
Home » આજે Akshaya Tritiya, પરશુરામ જયંતી અને વર્ષી તપના પરણા, જાણો અમદાવાદ, પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમોની વિગત

આજે Akshaya Tritiya, પરશુરામ જયંતી અને વર્ષી તપના પરણા, જાણો અમદાવાદ, પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમોની વિગત

આજે અખાત્રીજનો પવિત્ર (Akshaya Tritiya 2024) દિવસ છે. સાથે જ આજે ભગવાન પરશુરામ જયંતી પણ છે. આ નિમિત્તે રાજ્યભરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે અમદાવાદમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે, અખાત્રીજ નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. શહેરના મણિનગર વિસ્તારમાં સ્થિત કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને ચંદનનાં વાઘાનો વિશેષ શણગાર કરાયો છે.

જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, રથયાત્રા યોજાશે

જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, શોભાયાત્રા

આજે અખાત્રીજના પવિત્ર દિવસે રાજ્યભરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરે (Jagannath Temple Ahmedabad) ભગવાન જગન્નાથજીની 147 મી ચંદનયાત્રા યોજાશે. ચંદનયાત્રા બાદ રથયાત્રાની તૈયારીનો શુભારંભ થશે. રથયાત્રા પહેલા અક્ષય તૃતિયા પર મંદિરમાં ઐતિહાસિક ચંદનયાત્રાનું આયોજન કરાયું છે.

કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનનાં વાઘાનો શણગાર

મણિનગર કુમકુમમાં ચંદનનો શણગાર

ઉપરાંત, મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં (Kumkum Temple Maninagar) પણ અખાત્રીજની વિશેષ તૈયારીઓ કરાઈ છે. કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનનાં વાઘા પહેરાવી વિશેષ શણગાર કરાયો છે. પાંચ કિલો ચંદન ઘસી ઘનશ્યામ મહારાજને (Ghanshyam Maharaj) આ શણગાર કરાયો છે. છેલ્લા સાત દિવસથી સંતોએ ચંદન ઘસીને ચંદનની કોટી તૈયાર કરી હતી. સંતોના જણાવ્યા મુજબ, વૈશાખ માસમાં ગરમી વધારે પડતી હોવાથી ઠંડક માટે ભગવાન માટે ચંદનનો શણગાર કરાયો છે. સ્વામિનારાયણ ભગવાનની શિયાળો, ઉનાળો અને ચોમાસા પ્રમાણે વિશેષ પૂજા થાય છે. શિયાળામાં ગરમ વસ્ત્રો, ચોમાસામાં ભગવાનને છત્રી અને ઉનાળામાં ચંદનના વાઘા પહેરાવાય છે.

પાલીતાણામાં અખાત્રીજના પારણા

પાલીતાણામાં અખાત્રીજના પારણા યોજાશે

ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો તીર્થનગરી પાલીતાણા ખાતે આજે હર્ષોલ્લાસ સાથે અખાત્રીજના (Akshaya Tritiya 2024) પારણા યોજાશે. વર્ષ દરમિયાન જૈનો દ્વારા કરેલા તપ-જપને લઈ અખાત્રીજના દિવસે સામુહિક પરણા કરવામાં આવશે. માહિતી મુજબ, પાલીતાણામાં (Palitana Jain Tirth) પારણા ભવન ખાતે એક હજાર જેટલા જૈન તપસ્વીઓ પારણા કરશે. આજે ઇક્ષુ રસ એટલે કે શેરડીના રસથી પારણા કરી ધન્યતા અનુભવશે. જણાવી દઈએ કે, પાલીતાણા ખાતે આજે જૈન આચાર્ય, મુનીઓ, જૈન તપસ્વીઓ અને દેશ-વિદેશમાંથી યાત્રિકો અખાત્રીજના પારણા કરશે. વર્ષ દરમિયાન તપસ્યા કરતા આરાધકો વર્ષી તપના પરણા કરશે.

પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા

આજે પરશુરામ જયંતી, ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન

બીજી તરફ આજે પરશુરામ જયંતી (Parasuram Jayanti) હોવાથી અમદાવાદમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, શહેરના પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી (Paldi Bhatta Ramji temple) ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જ્યારે, લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે. માહિતી મુજબ, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો – VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું

આ પણ વાંચો – Sanatan dharm-પૂજા સમયે રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા

આ પણ વાંચો – Ujjain Temple: મહાકાલને મળ્યો ગરમીથી છુટકારો, ગર્ભગૃહમાં આ વિશેષ સુવિધા કરાઈ

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?