અહેવાલ કૌશિક છાંયા
ભુજમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા વિવિધ જાહેર વસાહતોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત કચ્છીમાડુઓને રૂ. ૨૬૬ કરોડથી વધારેના કુલ ૧૮ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી. CM ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૨૯.૨૧ કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ સ્ટેશન લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજમાં જાહેર વસાહતોનું લોકાર્પણ કરવામાં આવ્યું
CM ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે, પીએમ મોદીનો એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસ સ્ટેશન બનાવવાનો વિચાર આપ્યો હતો. ગુજરાત સરકારે રાજ્યમાં ૧૫ આઈકોનિક બસ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં રાજ્યમાં ૧૦ બસ સ્ટેશન બનાવામાં આવ્યા હતા. ત્યારે ૧૧ મું બસ સ્ટેશન કાર્યરત થયું છે.
વિવિધ જાહેર વસાહતો વિશેની માહિતી
ભુજમાં પધારેલા CM ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજ બસ સ્ટેશન ખાતેથી રૂ. ૫૯.૦૭ કરોડના કુલ ૦૮ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમાં સાથે ગાંધીધામ ખાતે મેજર બ્રિજ અને માઈનોર બ્રિજ, ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી આદિપુર રોડ, મુંદ્રાથી મુંદ્રા બંદર રોડ, હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટસ સેન્ટર, કુરન ગામે ખાતે રિચાર્જ ટેન્ક, સામખીયાળી આધોઈ કંથકોટ રોડનું કામ, દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ, દયાપર રેસ્ટ હાઉસનું નિર્માણ અને આડેસર લાખાગઢ રોડનું સ્ટ્રેન્ધનિંગના કામોનો સમાવેશ થાય છે.