Download Apps
Home » Surat : સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે

Surat : સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે

અહેવાલ  -રાબિયા સાલેહ ,સુરત

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પાર્કલને થોરું હતકે બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.સુરતના ઘર આંગણે 25 થી 27  ઓગસ્ટ સ્પાર્કલ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બીટુસીના ધોરણે સ્પાર્કલ -દર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ જોવા મળે એ રીતની વ્યવસ્થા કરાઇ છે.આ વખતે વિવિધ પ્રતિકૃતિ ઓ સ્પાર્કલ માં આકર્ષણ જમાવશે, જેમાં 4 ફૂટના શ્રીનાથજી, શ્રીજીની પ્રતિમા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અનોખું આકર્ષણ પાડે એવી મૂર્તિ સ્પાર્કલમાં મૂકવામાં આવશે.

 

આ વખતે યોજાનારા સ્પાર્કલ પ્રદશનને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા એ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી દિવસોમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ દ્વારા આગામી તા. 25, 26 અને 27  ઓગષ્ટ,ના રોજ અદભુત સ્પાર્કલ યોજાશે, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન 2023  દરમ્યાન સવારે 11 :૦૦ થી રાત્રે 8 :૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે આ યોજન કરશે,જેમાં દેશ વિદેશના લોકો મુલાકાત લેશે.

ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે

વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે,આ વર્ષે સ્પાર્કલ ને અનોખી રીતે ડિઝાઇન કરી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે.જેમ કે ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા અને સાથે જ રામ દરબાર નું અનોખું આકર્ષણ પ્રદશન માં જોવા મળશે,આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ નું કેન્દ્ર રહેશે, ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ સ્પાર્કલ માં જોવા મળશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ યોજન કરાયું

સુરતમાં સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી એકજીબિશન 2023 નું આયોજન ક૨વામાં આવ્યું છે.સુરતના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ યોજન કરાયું છે.જો કે ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન માટે કવાયત શરૂ કરી છે.ખાસ કરી ને સુરત ઉપરાંત અમદાવાદ,મુંબઇ,જયપુર અને બિકાનેરના 25 જેટલા જ્વેલર્સ આ પ્રદશનમાં ભાગ લેશે, વિવિધ એક્સપર્ટ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરી પણ બનાવવામાં આવી છે.જેને લોકો એકઝીબીશનમાં નિહાળી શકશે.

જ્વેલરીમાં શું વિશેષતા છે

સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકે કેમ થાય છે.અહીની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી વિશ્વ ના ખૂણે ખૂણે રહેલા લોકો ને થશે, વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે.એવું માની સુરત ડાયમંડ બુર્સ પણ બનાવામાં આવ્યું છે. આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય જોઇ.સ્પાર્કલ ને વિશેષ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ વખતે સ્પાર્કલ પાછળ નો હેતુ જણાવતા ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, બીટુસી ધોરણે ઘણા પ્રદશન થાય છે.પરંતુ આ વખતે તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે. સાથે જ સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડ છે જેને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે આ એકજીબિશન.. ચેમ્બર ઓફ કોમર્સ દ્વા૨ા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ ક૨વામાં આવે છે. આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ વિવિધ આકર્ષણ પાડે એવા જ્વેલરી બનાવમાં આવ્યા છે,ટેકિનકલ વેરીયસ સાથે જુદા જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે.સાથે ચુસ્ત સીસીટીવી બંદોબસ સાથે આ સ્પાર્કલ પ્રદશન યોજાશે,જે માટે દેશ વિદેશને સ્પાર્કલ પ્રદશનમાં આવવા માટે આમંત્રણ અપાયું છે.

આ  પણ  વાંચો-BHAVNAGAR : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

 

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા