ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!

મૃતકના ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
09:45 PM Jun 10, 2025 IST | Vipul Sen
મૃતકના ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Botad_Gujarat_first main
  1. ગઢડાનાં ઈંગોરાળા ગામે ચૂંટણી યુવકનાં મોતનું કારણ બની! (Botad)
  2. યુવા આગેવાને ફોર્મ ન ભરવા મળેલી ધમકી બાદ આપઘાત કર્યો
  3. યુવા આગેવાન અનિરુદ્ધભાઈ ખાચરે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
  4. ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
  5. અનિરુદ્ધભાઈ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા

બોટાદ જિલ્લાના (Botad) ગઢડાનાં ઈંગોરાળા ગામે ચૂંટણી એક યુવકના મોતનું કારણ બની છે. ઉમેદવારી ફોર્મ ન ભરવા માટે મળેલી ધમકી બાદ યુવા આગેવાને આપઘાત કર્યો હોવાના સમાચાર છે. યુવા આગેવાને ઝેરી દવા પી લેતા ભાવનગર હોસ્પિટલમાં (Bhavnagar Hospital) સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા. મૃતકનાં ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે (Dhasa Police) ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gondal Election : ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ, 40 ગામમાં સરપંચ-સભ્યો માટે ઉમેદવારી નોંધાઈ

ફોર્મ ન ભરવા મળેલી ધમકી બાદ યુવા આગેવાને આપઘાત કર્યો

બોટાદ જિલ્લાના (Botad) ગઢડાનાં (Gadhada) ઈંગોરાળા ગામે રહેતા યુવા આગેવાન અનિરુદ્ધભાઈ ખાચર માટે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) મોતની કારણ બની છે. આરોપ છે કે, યુવા આગેવાન અનિરુદ્ધભાઈ ખાચરને સરપંચનું ફોર્મ નહીં ભરવા માટે ધાકધમકી મળી હતી, જેથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી હતી. ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનિરુદ્ધભાઈનું મોત નીપજ્યું છે. અનિરુદ્ધભાઈ ખાચર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનાં હતા પરંતુ, ગામનાં ત્રણ લોકોએ તેમને ધાકધમકી આપી હતી તેવા આરોપ છે.

આ પણ વાંચો - Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

આત્મહત્યા કરતા પહેલા ભાઈને વોટ્સએપ મેસેજ કર્યો હતો

માહિતી અનુસાર, આત્મહત્યા કરતા પહેલા અનિરુદ્ધભાઈએ તેમના ભાઈને વોટ્સએપ મેસેજ કર્યો હતો. આ કેસમાં અનિરુદ્ધભાઈનાં ભાઈ રણજિત દડુભાઈ ખાચરે ઈંગોરાળા ગામનાં (Ingorala Village) મહેશ ગભરૂભાઈ ખાચર, અમરશી ભગવાનભાઈ ઝાંપડિયા અને પ્રવિણ ઝાંપડિયા વિરુદ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઢસા પોલીસે ત્રણેય શખ્સ સામે મરવા માટે મજબૂર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

આ પણ વાંચો - Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!

Tags :
Aniruddhabhai Khachar caseBhavnagar hospitalBotadCrime NewsDhasa PoliceGadhadaGram Panchayat ElectionGUJARAT FIRST NEWSIngorala VillageTop Gujarati News
Next Article