‘મહાભારત’ સીરિયલમાં ‘ભીષ્મ પિતામહ’ના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા મુકેશ ખન્ના પોતાની સ્પષ્ટવક્તા શૈલીના કારણે હર હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. હાલમાં જ મુકેશ ખન્નાએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે આ ફિલ્મને રામાયણનો સૌથી મોટો અને ભયાનક તમાશા ગણાવ્યો હતો. આ સાથે તેમણે ઓમ રાઉત અને મનોજ મુન્તાશીરને પણ ઠપકો આપ્યો છે.
ફિલ્મ ‘આદિપુરુષ’ની આખી ટીમ પર ભડક્યા મુકેશ ખન્ના
મુકેશ ખન્ના પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ની આખી ટીમ પર ભડક્યા છે. અગાઉ મુકેશ ખન્નાએ ફિલ્મમાં વપરાતા સંવાદો અને કોસ્ચ્યુમ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. હવે તેમના લેટેસ્ટ વીડિયોમાં અભિનેતાએ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત વિશે સમગ્ર ટીમને એક મોટું નિવેદન આપ્યું છે. તે આખી ટીમની નિંદા કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, ઘણા વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં આદિપુરુષ ફિલ્મે અત્યાર સુધીમાં 375 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે પરંતુ તેને ક્રિટિક્સ અને દર્શકો તરફથી કોઈ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. વળી, ગયા સોમવારથી ફિલ્મની કમાણીમાં પણ મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ANI સાથેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ ફિલ્મ ‘આદિપુરુષ’ને રામાયણની ભયંકર મજાક ઉડાવનારી ગણાવી હતી. તેમણે કહ્યું- આપણા શાસ્ત્રોનું અપમાન કરવાનો અધિકાર આમને કોણે આપ્યો છે? હું તો એમ પણ કહું છું કે ઓમ રાઉત અને મનોજ મુન્તાશીરે રામાયણ પણ વાંચ્યું નથી. એ લોકોને ખબર પણ નથી હોતી કે રાવણને કયું વરદાન મળ્યું છે. તેણે રાવણના પાત્રમાં હિરણ્ય કશ્યપનું વરદાન ચોંટાડ્યું છે.
#WATCH | "If the people of the country don't stop this, then I'll think that 100 crore Hindus have not awakened yet," says actor Mukesh Khanna on the film 'Adipurush'. pic.twitter.com/38Q0F8Oi3n
— ANI (@ANI) June 20, 2023
‘ફિલ્મની આખી ટીમ સળગાવી દેવી જોઈએ’ : મુકેશ ખન્ના
મુકેશ ખન્નાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું- શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું, હવે જેની પાસે એટલું જ્ઞાન નથી તેઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે. આ એકદમ બકવાસ છે. તેમને માફ ન કરવા જોઈએ. મેં મારી યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી સેલ્સિયસ પર ઊભા રહીને બળી જવું જોઈએ. મુકેશ ખન્નાએ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને સંવાદ લેખક મનોજ મુન્તાશીરની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું- તેઓ કહી રહ્યા છે કે અમે તેને સનાતન ધર્મ માટે બનાવી રહ્યા છીએ. અરે, તમારો સનાતન ધર્મ અમારા કરતા જુદો છે? તેમણે કહ્યું કે, વાલ્મીકિજીનું વર્ઝન હતું, પછી તુલસીદાસજીનું વર્ઝન હતું, આ આપણું વર્ઝન છે.
મુકેશ ખન્નાએ સૈફ અલી ખાનના લુક વિશે શું કહ્યું ?
અભિનેતાએ ફિલ્મ ‘આદિપુરુષ’માં બતાવવામાં આવેલા રાવણના લુક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ‘રાવણ એક પંડિત હતો, તેના આવા લુકની કલ્પના પણ ન કરી શકાય. રાવણના લુકની ડિઝાઈન જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને ફિલ્મ ‘આદિપુરુષ’માં ‘રાવણ’નો રોલ કર્યો છે. આ સિવાય અભિનેતાએ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને સંવાદ લેખક મનોજ મુન્તાશીર પર પણ પ્રહારો કર્યા છે. તેમણે તેને ‘કલયુગનું રામાયણ’ કહ્યું અને સાથે જ કહ્યું કે ફિલ્મમાં જે રાવણનું પાત્ર છે તે રાવણ ઓછો અને સસ્તો સ્મગલર લાગી રહ્યો છે.
આ પણ વાંચો – સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા ‘ભારત માતા કી જય’ અને મોદી-મોદીના નારા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ