અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા SOG ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોએ નકલી ડોક્યુમેન્ટના આધારે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યુ છે. રથયાત્રા પહેલા ATS દ્વારા આતંકવાદી સંસ્થા અલકાયદા સાથે સંકળાયેલા 3 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.. જે તપાસમાં ગુજરાત ATS સાથે SOGની ટીમ પણ સાથે તપાસમાં હતી.. ત્યારબાદ SOG દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.. જેમાં SOGની ટીમને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તેની પહેલા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે…
પકડાયેલા 18 બાંગ્લાદેશીઓના નામ
1. મોહમ્મદ સદામહુસેન
2. મોહમ્મદ ખલીલમિયા
3. મોહમ્મદ શબ્બીર
4. મોહમ્મદ સાકાઉત
5. મિન્ટુ આબુતાલેખ શેખ
6. મીઠાં બાબરઅલી મંડલ
7. ફારુક સદર અલી શેખ
8. મોહમંદ રાજૂહુસેન મુલા
9. જાહિદુલ ઇસ્લામ તાલુગદર
10. જીતુ જતીન્દ્ર બરમન
11. લૂકમાન જરૂલહક ફકીર
12. અબ્દુલરસીદ હમીદઅલી શેખ
13. લિયાકતહુસેન કમલહુસેન શેખ
14. અલઅમીન કમલહુસેન શેખ
15. તારીક અબ્દુલ્લા શેખ
16. સોહિલ શેખ
17. સાહિદ જલાલ શેખ
18. મામુનશા જલાલ શેખ
SOG ક્રાઈમ બ્રાન્ચના DCP જે.વી.વાળાએ જણાવ્યુ હતું કે SOGની ટીમ દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ઓઠવ, સોનીની ચાલી, ઘાટલોડિયા અને ઇસનપૂર વિસ્તાર માથી અલગ અલગ ટીમ બનાવીને 18 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે… તપાસ દરમિયાન આ બાંગ્લાદેશી નાગરિકોની પાસે કોઈપણ ભારતીય નાગરિક તરિકોનો કોઈ પુરાવો મળ્યો ના હતો.. અને તમામ આરોપી ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ…
છેલ્લા 3 વર્ષમાં ગેરકાયદેસર પકડાયેલા બાંગ્લાદેશીઓ
2021 – 14
2022 – 16
2023 – 33
કુલ – 63
થોડા દિવસ પહેલા ગુજરાત ATS દ્વારા અલકાયદા સંગઠન સાથે જોડાયેલા 3 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.. ત્યારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ સતત નજર રાખી રહ્યા હતા… અને હવે પકડાયેલા 18 બાંગ્લાદેશી આ સંગઠન સાથે સંપર્કમાં છે કે નહિ અને ભારતમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહિ તેની તપાસ પણ SOG દ્વારા હાથ ધરવામાં આવી છે…