અહેવાલ – સચિન શેખલીયા, બનાસકાંઠા
બનાસકાંઠાના વડગામમાં અનેક ગામોના ખેડૂતોને દિવસની જગ્યાએ રાત્રીએ વિજળી મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી નીકાળી GEB કચેરી પહોંચી આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવા રજુઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠાના વડગામ સહિત અનેક પંથકોના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રી દરમિયાન ઠુઠવાતા પિયત કરવું પડે છે અને રાતે ઉજાગરા કરવા પડી રહ્યા છે
ત્યારે વડગામ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતા આજે વડગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી કાઢવામાં આવી હતી. જે રેલી સુત્રોચાર કરતા વડગામ GEB કચેરી પહોંચી હતી. જ્યાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની રજુઆત કરવામાં આવી હતી.
ખેડૂતોનું કહેવું છે કે વડગામ વીજ કંપનીના છાપી,જલોત્રા અને વડગામ ત્રણ સબ ડિવિઝનોમાં રાત્રી દરમિયાન વીજળી આપવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતને બહુ તકલીફ પડી રહી છે. ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. જેથી આજે તેમણે રેલી નીકાળી GEB કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું છે અને શિયાળા પૂરતી તમામ ફીડરોમાં દિવસે વીજળી આપવાની રજુઆત કરી છે.
વડગામ પંથકના ખેડૂતોને રાત્રી દરમિયાન વીજળી આપતા ખેડૂતોને ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે તો જંગલી જાનવરોનો પણ ડર લાગે છે. જેથી ખેડૂતોએ વડગામ GEBના નાયબ કાર્યપાલકને આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવાની રજુઆત કરતા અધિકારીએ ખેડૂતોની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલીને તેમની માંગને ઘટતી કરવાની ખાતરી આપી હતી.
આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષમણભાઈ ચૌધરી એ જણાવ્યું હતું. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને કરતી ઠંડી પડી રહી છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન વિજળી આપવામાં આવી રહી છે જે વીજળી અમારી દિવસે જોઈએ છે કેમકે ખેડૂતો પોતાના ખેતરમાં રાતે દરમ્યાન કામ કરતા હોય ત્યારે હાલમાં ચાલી રહેલ હૃદય રોગના હુમલામાં જો કોઈ ખેડૂતનું મોત નીચે તો જવાબદાર કોણ માટે અમારી સરકારને નમ્ર અરજ છે કે તાત્કાલિક અમારી રજૂઆતને ધ્યાને લઈ રાત્રે મળતી વીજળી દિવસે કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આ બાબતે એ.વી.સોલંકી-નાયબ કાર્યપાલકએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ દિવસે વીજળી આપવાની રજૂઆતની માંગ ક્રરીને આવેદનપત્ર આપ્યું છે તેને લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – SURAT : જાણો સુરતમાં આવેલ આ અનોખા રામ મંદિર વિશે, જ્યાં રામનામનો ગવાય છે મહિમા