ગોંડલ તાલુકાના નવાગામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાધો હતો. યુવકે ગળેફાંસો ખાધા પહેલા ઇન્સ્ટાગ્રામમાં “મુજે કયું ધોકા દિયા” નું સ્ટેસ્ટ મુક્યું હતું. મૃતક યુવકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકાના નવાગામના વાગડિયા શેરીમાં રહેતા અક્ષય માવજીભાઈ વાગડિયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક અક્ષય ખેતી કામ કરે છે અને અક્ષયે ગળેફાંસો ખાધા પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર “મુજે કયું ધોકા દિયા” અને અન્ય એક સ્ટોરી અપલોડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસના કોન્સ્ટેબલ ઇન્દુભા જાડેજાએ વધુ તપાસ હાથ ધરી હતી.