Home » શું ભારત ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં ? પાકિસ્તાનમાં હલચલ તેજ..
શું ભારત ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં ? પાકિસ્તાનમાં હલચલ તેજ..
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
148
પાકિસ્તાનમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને PoKમાં ભારે હિલચાલ છે. આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાની લોકોમાં ચર્ચા છે કે ભારત ફરીથી કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. 20 એપ્રિલે પૂંચમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ તેને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે તો ત્યાં સુધી કહ્યું છે કે ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. જો કે, બાસિતે એમ પણ કહ્યું છે કે G20 સમિટને ધ્યાનમાં રાખીને ભારત અત્યારે આવું પગલું નહીં ભરે.
અબ્દુલ બાસિતે શું કહ્યું?
અબ્દુલ બાસિતે કહ્યું, ‘પૂંચમાં ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો. ત્યારથી પાકિસ્તાનમાં ચર્ચા છે કે ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. તે હવાઈ હુમલો પણ હોઈ શકે છે. જો કે, મને એમ પણ લાગે છે કે SCO સમિટ ભારતમાં યોજાવા જઈ રહી છે અને ભારત G-20ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે, તો શું તે આવી સ્થિતિમાં આવું કોઈ પગલું ભરશે? બાય ધ વે, આવતા વર્ષે (ભારતમાં) ચૂંટણી છે અને પછી આવા હુમલાનું જોખમ ઘણું વધારે હશે. ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાન પર હુમલો થઈ શકે છે.
શું થયું પૂંચમાં?
20 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં ભારતીય સેનાની ટ્રકને સ્ટિકી બોમ્બથી નિશાન બનાવી હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ સૈનિકો રોજા ઈફ્તાર માટે ખાદ્યપદાર્થો લઈ જઈ રહ્યા હતા. હુમલા બાદ સેનાએ પૂંચના ગાઢ જંગલમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હવે પાકિસ્તાનને લાગે છે કે ભારત તેનો બદલો સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં લઈ શકે છે. આ જ કારણ છે કે સમગ્ર પાકિસ્તાનમાં આ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
તો શું ભારત ખરેખર સર્જિકલ સ્ટ્રાઈક કરશે?
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનનો આ ડર વાજબી છે. માત્ર પાકિસ્તાની લોકો અને સરકારમાં જ નહીં, પરંતુ તેમની સેના અને વાયુસેનામાં પણ આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ભારત હાલમાં G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યના વડાઓની બેઠક યોજાવાની છે. આવી સ્થિતિમાં તરત જ કંઈ કહી શકાય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે ભારત આ હુમલાનો એટલો જ જોરદાર જવાબ આપશે જેવો તે પહેલા આપતું રહ્યું છે.
ભારત પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી ચૂક્યું છે
આ પહેલા પણ ભારતે બે વખત આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. 18 સપ્ટેમ્બર, 2016ના રોજ સવારે 5:30 વાગ્યે ભારતીય સૈનિકોના વેશમાં ચાર આતંકવાદીઓ એલઓસી પાર કરીને કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેઓએ ઉરીમાં ભારતીય સેનાના બ્રિગેડ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું. ત્રણ મિનિટમાં આતંકવાદીઓએ કેમ્પ પર 15થી વધુ ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ચારેય આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ પીઓકેથી આવ્યા હતા અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. 29 સપ્ટેમ્બર 2016ના રોજ, ભારતના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ભારતે સરહદ પાર આતંકવાદીઓના લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઉપરાંત 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, આતંકવાદીઓએ ફરી એકવાર ભારતીય સેનાને નિશાન બનાવ્યું. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આપણા 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આની જવાબદારી લીધી હતી. બે અઠવાડિયાની અંદર, ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરી અને પાકિસ્તાનના પૂર્વોત્તર ક્ષેત્રમાં ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન ભારતીય સેનાના મિરાજ વિમાનોએ 400થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો—કાશ્મીરને લઈને પાકિસ્તાને કરી હતી ડીલ ! PAK પત્રકારના ખુલાસાથી કેમ થયો હોબાળો, શું છે તેનો અર્થ?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject