Home » જાણી લો તુલસી સંબંધિત આ નિયમો, ક્યારેય નહીં અટકે તમારી પ્રગતિ
જાણી લો તુલસી સંબંધિત આ નિયમો, ક્યારેય નહીં અટકે તમારી પ્રગતિ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
114
આપણે ત્યાં પૌરાણિક માન્યતા અનુસાર ઘરમાં તુલસીનો છોડ રોપવાથી આપના ઘર પર સદૈવ દેવી દેવતાની વિશેષ કૃપા રહે છે. તુલસીનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. તુલસી વિશે ઘણી માન્યતાઓ છે જેમ કે સમુદ્ર મંથન સમયે જે અમૃત ધરતી પર છલકાયું હતું, તેમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ છે. જો ઘરમાં રોપવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.
સામાન્ય રીતે તુલસીના છોડને એક ઔષધિય છોડ પણ માનવામાં આવે છે. ત્યાં જ સનાતન ધર્મમાં તુલસીના છોડને માતાના સ્વરૂપમાં પૂજનીય માનવામાં આવે છે. પૌરાણિક કાળથી લઈને આજ સુધીના સમયમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ જ કારણે આજે પણ હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને લાભદાયી દર્શાવવામાં આવ્યો છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. લોકો શ્રદ્ધા સાથે સવાર સાંજ તુલસીના છોડની પૂજા કરે છે. જળ અર્પણ કરે છે. એટલું જ નહીં પરંતુ ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય હોય તો ત્યારે પણ તુલસીજીની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ તો છે જ સાથે સાથે તુલસીના છોડને આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ મહત્વનું ગણવામાં આવે છે.
પૌરાણિક માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં દેવી-દેવતાનો વાસ હોય છે. ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. આ બધી જ શુભતા સાથે તુલસીના છોડ માટે કેટલાક નિયમો આપણા ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. જો આપણે આ નિયમોને અનુસરીશું તો આપણા ઘર પર તુલસી માતાની કૃપા અવિરત વરસશે.
.તુલસીના છોડ સાથે જોડાયેલા નિયમો:
⦁ આપના ઘરમાં રહેલ તુલસીનો છોડ ક્યારેય સૂકાવો ન જોઈએ.
⦁ જો આપ બહારગામ જાવ છો તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીના છોડને નિત્ય પાણી મળી રહે.
⦁ જો આપના ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે કે કરમાઈ જાય છે તો આપના પરિવારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાઓથી બચવા માટે ક્યારેય તુલસીના છોડને સૂકાવવા ન દેવો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject