- બાંધેલાં લોટનો સ્વાદ 6 થી 7 કલાક પછી બદલાય છે.
- તેમાં થતાં કેમિકલ ચેન્જિસથી ફૂડનું ટેક્સચર બદલાઈ જાય છે.
- જેના કારણે તે હેલ્થ માટે હાનિકારક બની જાય છે.
- લોટ બાંધ્યાનાં બે કલાક બાદ તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે.
- તેથી રોટલી બનાવવા માટે હંમેશા તાજા બાંધેલા લોટનો ઉપયોગ કરવો હિતાવહ છે.
- જો કણક વધી પડે તો તેને એર ટાઇટ કાચનાં ડબ્બામાં ભરી લો.
- ફ્રિજમાં 7 કલાકથી વધુ સમય સુધી રાખેલો લોટ કઠણ થઈ જાય છે અને કાળો પડવા લાગે છે.
- જો લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો કેમિકલ રિએક્શનથી તે બગડી જાય છે.
- જેનું સેવન કરવાથી આંતરડામાં ગડબડ થવાના ચાન્સ વધી જાય છે.
- આ લોટના સેવનના કારણે એસિડિટી, અપચો અને પેટમાં દુખાવો જેવી અનેક પ્રકારની પેટની બીમારીઓ થાય છે.
- તેના સેવનથી ફૂડ પોઇઝનિંગ થતાં સ્વાસ્થ્ય કથળી શકે છે.
- જ્યારે ફ્રિજમાં રાખેલો લોટ કાળો પડવાં લાગે છે તો તેનો અર્થ એ છે કે તેમાં ફંગસ વધી રહી છે.
- આ લોટમાંથી બનેલી પુરી કે પરાઠા ખાવાથી પેટમાં ઇન્ફેક્શન અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- પોષણક્ષમ મૂલ્યમાં ઘટાડો થાય છે.
- રોટલીનાં લોટમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન-ઈ, બી-કોમ્પ્લેક્સ અને 13 એમિનો એસિડ હોય છે, પરંતુ ફ્રિજમાં રાખેલા લોટમાં પોષકતત્વોની ઉણપ હોય છે. આવાં લોટની બનેલી રોટલીમાં પોષણક્ષમ મૂલ્યો નહિવત્ પ્રમાણમાં હોય છે.
- જો આ લોટમાંથી ગંધ આવે તો તેનો ઉપયોગ ભૂલથી પણ ન કરશો.
- જો કણકનો રંગ કાળો પડી ગયો હોય અથવા ગંધ આવી ગઈ હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળશો.