અંબાજીમાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. સોમવારે પીએમ નરેન્દ્ર મોદી અંબાજી પહોંચનાર છે. જ્યાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરશે. તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ રુબરુ નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં જિલ્લા ક્લેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાને અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતના રુટ સહિતની બાબતોની સલામતી વ્યવસ્થાનુ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.