અહેવાલ – પીન્ટુ પટેલ
નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે તીર્થધામ ચાણોદ પાણી પાણી થઈ ગયું છે. ચાણોદની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ છે. છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ થઈ ગઈ છે. લોકોના ઘર બે માળ સુધીમાં પાણીમાં ગરક થઈ ગયા છે. કેટલાક લોકો ગઇકાલ રાતથી ભૂખ્યા છે, તેમના બાળકો ભૂખથી ટળવળી રહ્યા હોય તેવો માહોલ છે. લોકોની દુકાનોનો માલસામાન પાણીમાં પલળી ગયો છે અને કેટલોક સામાન પાણીમાં વહી ગયો છે. ગુજરાતન ફર્સ્ટ ટીમ ચાણોદમાં પહોંચી તો લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર સમક્ષ મદદની માંગ કરી હતી.
જ્યાં પોલીસ લોકોને ચાણોદ ગામમાં પ્રવેશતા રોકી રહી છે, કારણ કે, ગામમાં જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે ગામમાં પ્રવેશનું ભયજનક છે. ગામમાં પ્રવેશ્યા ત્યારે કેટલાક એવા લોકો મળ્યા જેઓ વડોદરાથી પોતાના માતા-પિતા માટે ભોજન લઇને આવ્યા હતા અને નાવડીમાં બેસીને રિસ્ક લઇને ગામમાં ગયા હતા અને તેમના માતા-પિતા અને સગા-સંબંધીઓને ભોજન પહોંચાડી રહ્યા હતા. જો કે, કેટલાક લોકોને ભોજન મળ્યું નથી. જેથી તેઓ ખાવાનું મળે તેવી માંગ કરી રહ્યા છે, જો કે, કેટલાક સેવાભાવીઓએ જમવાની વ્યવસ્થા પણ કરી છે. જો કે એકંદરે ચાણોદ ગામની હાલત ખૂબ જ ખરાબ છે અને લોકો કહી રહ્યા છે કે, વર્ષ-1970 પછી પછી આટલી ખરાબ પરિસ્થિતિ પહેલીવાર સર્જાય છે.
દુકાનોમાં પાણી ઘૂસી ગયા છીએ. ધંધો રોજગાર ઠપ્પ થઇ ગયો છે, જલ્દી પાણી ઉતરી જાય છે. આ પહેલા 1970માં આ પ્રકારનું પૂર આવ્યું હતું. મારી દુકાનમાં 3થી 4 ફૂટ પાણી થઈ ગયું છે.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) મળ્યા, તેઓએ જણાવ્યું હતું કે, ચાણોદ, કરનાળી, નંદેરીયા સહિતના નર્મદા નદી કાંઠાના વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે, રાત્રે પાણી છોડવામાં આવ્યું પછી પાણી ભરાયા છે. ચાણોદમાં વર્ષો પછી આવો નજારો જોવા મળ્યો છે. દુકાનોમાં એક-એક માળ સુધી પાણી છે. એટલે જ અમે અહીં આવ્યા છીએ. અહીં ગંભીર હાલત છે. એટલે સરકારમાં પણ રજૂઆત કરીશું કે, ખેડૂતોને અને દુકાનદારોને સહાય આપે. એવી રજૂઆત કરીશ.
સ્થાનિક સુરેશભાઈ જોષી જણાવ્યું હતું કે, સમગ્ર ચાણોદમાં પાણી ઘૂસી ગયા છે, સરકારી તંત્રએ ગઇકાલે રાત્રે એલર્ટ જાહેર કર્યું હતું. વર્ષો પછી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી 8000 થી 10000 હજાર જેટલા ફૂટ પેકેટ લઇને આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
હમણાં પાણીનું જળસ્તર ખૂબ જ વધી રહ્યો છે. જેથી અમે અમારો સામાન શિફ્ટ કર્યો છે. જેથી ત્યાં પાણી પહોંચી ન શકે. અહીં ખૂબ જ ગંભીર હાલત છે. લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને વેપારીઓને સામાન શિફ્ટ કરવો પડ્યો છે. કોઇ દુર્ઘટના ન થાય તે માટે અહીં વિધિ કરવા વાળા અહીં એન્ટ્રી આપવામાં આવી રહી નથી. ઘરોમાં પાણી ઘૂસી ગયા છીએ અને બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ ચડી રહ્યા છે.
સ્થાનિક અમિત પંચાલે જણાવ્યું હતું કે, અમારા દાદા કહેતા કે, 50 વર્ષ પહેલા આવું પાણી આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે આવું પાણી આવ્યું છે. ગામની હાલત તમે બતાવી શકો. બજાર આખું પાણીમાં ગરકાવ છે. લોકોનો સામાન પણ તણાઇને જતો રહ્યો છે અને વીજળી ગઇકાલ રાતથી બંધ થઈ ગઈ છે. હાલ ચાંદોદ ડેપો વિસ્તાર સુધી પાંચ થી છે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા ત્યારે ચાંદોદ થી જોડતો રોડ ના ગામોમાં પણ નંદેરીયા ભીમપુરા બદરીકા આશ્રમ જેવા ગામો પણ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા હતા જ્યારે નંદેરીયા ગામમાં એનડીઆરએફ ની ટીમ દ્વારા સાત લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે