અંબાજી માં અંબા નું મૂળ સ્થાનક છે.શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં બીપોરજોય વાવાઝોડા બાદની અસરો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જોવા મળી રહી છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડી પ્રદેશ જોવા મળી રહ્યો છે. અંબાજી શક્તિપીઠ ચારે બાજુ પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર ધામ આવેલું છે અહી મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે માઈ ભકતો આવતા હોય છે. ગબ્બર ખાતે હાલમા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ગબ્બર ખાતે વરસાદ પણ ચાલી રહ્યો છે ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગબ્બર ખાતે આવતાં માઈ ભક્તોને ગબ્બર ટોચ ઉપર મોકલવામાં આવતા નથી અને નીચેથી જ તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે.
અંબાજી આવતા માઈ ભક્તો ગબ્બર દર્શન કરવા જતા હોય છે. ગબ્બર ખાતે ખરાબ વાતાવરણને પગલે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ બંધ રાખવામાં આવ્યું છે. ગબ્બર શકિતપીઠ ના દર્શન આજે માઈ ભક્તો કરી શકશે નહીં.ગબ્બર ખાતે હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.ભારે વરસાદના કારણે માઈ ભક્તો ગબ્બર પર્વત ખાતે દર્શન કરવા જઇ શકશે નહીં.ગબ્બર રોપવે પણ 13 જૂનથી બંધ છે.આજે ગબ્બર રોપવે શરૂ થવાનું હતું.વાતાવરણને ધ્યાનમાં લઈને હાલ રોપવેનો મુખ્ય ગેટ બંધ જોવા મળ્યુ . ઉષા બ્રેકો તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વાતાવરણ ખુલ્લું થતા રોપવે શરુ કરવામા આવશે.
હાલમા માઇ ભકતો ગબ્બર તળેટી થીજ માતાજીનાં દર્શન કરી પરત ફરી રહ્યા છે .ગબ્બર ખાતે Gisfs ના જવાનો હાજર છે. જેઓ માઈ ભક્તોને એકાવન શક્તિપીઠ અને ગબ્બર ટોચ ઉપર મોકલતા નથી અને તેમને નીચેથી દર્શન કરવાનું સૂચન કરી રહ્યા છે.માઇ ભકતોની સુરક્ષા કારણોસર ગબ્બર ઊપર મોકલવામાં આવતા નથી.આજે ગબ્બર રોપવે નો મુખ્ય ગેટ બંધ હાલતમાં જોવા મળ્યો. આજે રવિવાર હોય માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ ગબ્બર ખાતે આવી રહ્યા છે પણ તેઓ નીચેથી દર્શન કરીને પરત ફરી રહ્યા છે.
ગબ્બર પાર્કિંગમાં વિશાળ વૃક્ષ ધરાશાહી, કોઈ જાનહાની નહીં
વાવાઝોડા બાદ ની અસરોની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં સૌથી વધુ અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે અનેક સ્થળો પર વૃક્ષો પડવાના બનાવો સામે આવી રહ્યા છે તો કેટલાક વૃક્ષો પડવાના લીધે વાહન વ્યવહાર પણ થોડા સમય માટે બંધ જોવા મળ્યો હતો. અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર લાઈટ એન્ડ સાઉન્ડ પાસે આવેલા પાર્કિંગમાં ઊભેલું વિશાળ વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું .ભારે પવનના પગલે વૃક્ષ પડી ગયુ હતું. કોઈ જાનહાની થઈ ન હતી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો : રથયાત્રા 2023 : આજે પરંપરાગત રીતે યોજાશે નેત્રોત્સવ વિધિ, હવે રથયાત્રા દિવસે આંખ પરથી ખોલાશે પાટા