ટંકારાના વાઘગઢ ગામે લોકોને અતિશય દુર્ગંધ આવતી હોય જેથી તપાસ કરતા જમીનમાં જાનવરોને ફાડી ખાધેલ હાલતમાં જમીનમાં અર્ધ ડટાયેલ મૃતદેહ નજરે પડ્યો હતો જેથી તાત્કાલિક ગ્રામજનોએ ટંકારા પોલીસને જાણ કરી હતી.
જે બાદ ટંકારા પોલીસ તેમજ મોરબી એલસીબી ના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટંકારા મામલતદાર ની હાજરીમાં અર્ધ ડટાયેલ મૃતદેહને જામીન માંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો અને મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ત્યારે બીજી બાજુ એલસીબી દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન મૃતક વાઘ ગઢ ગામે ખેતમજૂરી કરતા હીરાભાઈ વસ્તા ભાઈ ડાવરાનો હોવાનું સામે આવ્યું હતું જે બાદ એલસીબી દ્વારા હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકના પુત્ર પર આશંકા જતાં તેની પૂછપરછ શરૂ કરી હતી જે દરમિયાન મૃતકના પુત્ર પપ્પુ ડાવરા ને તેના પિતા સાથે પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી જેના કારણે તેણે પોતાના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને હત્યા કર્યા બાદમાં લાશને જમીનમાં જેમ-તેમ દાટી ને નીકળી ગયો હતો પરંતુ મૃતદેહ અર્ધડટાયેલ હાલતમાં હોવાથી જાનવરોએ મૃતદેહના અમુક અંગો ફાડી ખાધા હતા અને આજુ બાજુના વિસ્તારમાં અતિશય દુર્ગંધ પ્રસરી ગઈ હતી જેના કારણે આ સમગ્ર મામલાનો ભાંડા ફોડ થયો હતો.
આ પણ વાંચોઃ જેણે મદદ કરી તેની જ પત્ની સાથે મનાવતો રંગરેલીયા, પતિએ કઢંગી હાલતમાં જોતા ઢાળી દીધું ઢીમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ