ભગવાન રામ (Ram) દરેકના હ્રદયમાં વાસ કરે છે. આજે એક એવો સમય આવ્યો છે કે લોકો ખરેખરમાં ભગવાન રામ (Lord Ram) આવવાના હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વની નજર અયોધ્યામાં તરફ છે. ભાગવાન રામ પ્રત્યે લોકોની આસ્થા એ હદે છે કે ભારતમાં ઘણા લોકોએ પોતાના બાળકનું નામ રામ રાખ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં એક ગામ આવેલું છે જ્યા 250 વર્ષ જુનુ મંદિર આવેલું છે. એટલું જ નહીં આ ગામના લોકો પોતાના નામની આગળ રામ લખવાનું પસંદ કરે છે.
ગામમાં રામથી શરૂ થાય છે સૌ કોઇનું નામ
સોમવાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દરેક લોકો ઉત્સાહિત છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. પરંતુ પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક ગામ છે, જે પહેલાથી જ રામમય છે. બાંકુરા જિલ્લાના રામપરામાં લોકોના મનમાં રામનું નામ વસી ગયું છે. એટલે જ અહીં રહેતા સૌ કોઇ પોતાના નામની આગળ રામ લખવાનું પસંદ કરે છે. જેમ કે રામદુલાર, રામકાંત, રામ કિશન, રામદેવ વગેરે. આ ગામના લોકો ભગવાન રામ માટે અપાર આદર ધરાવે છે. આ ગામની દરેક વસ્તુ રામના નામ સાથે જોડાયેલી છે. ગામનું નામ રામપાડા છે, જે રામ નામથી શરૂ થાય છે. આ ગામના લોકો ભગવાન રામને પોતાના પારિવારિક દેવતા માને છે. ગામમાં ભગવાન રામનું 250 વર્ષ જૂનું મંદિર છે. આ ગામના લોકોનું નામ પણ રામના નામથી શરૂ થાય છે. નવજાતનું નામ પણ રામથી રાખવામાં આવે છે. આ પરંપરા 250 વર્ષથી સતત ચાલી આવે છે.
કેમ કરવામાં આવ્યું મંદિરનું નિર્માણ ?
શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહને લઇને બાંકુરાના આ મંદિરમાં સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. મંદિરમાં દિવસમાં બે વખત પૂજા થાય છે. સ્થાનિક રહેવાસી રામકનાઈ મુખોપાધ્યાયે જણાવ્યું કે, મંદિર લગભગ 250 વર્ષ જૂનું છે. ભગવાન શ્રી રામ તેમના પૂર્વજોના સપનામાં આવ્યા હતા. જે બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ગામના લોકો શ્રી રામનું ખૂબ સન્માન કરે છે. દરેક કાર્ય પહેલા ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે, બાળકોના નામ પહેલા પણ સતત રામ સંબોધવામાં આવે છે.
250 વર્ષ જૂની પરંપરા
આ ગામમાં 250 વર્ષથી એક ખાસ પરંપરા ચાલી આવે છે કે દરેક બાળકનું નામ ભગવાન રામ પરથી રાખવામાં આવે છે. આમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે નામોનું પુનરાવર્તન થતું નથી. એટલે કે જે નામ પહેલાથી રાખવામાં આવ્યું છે તે ફરીથી રાખવામાં આવતું નથી.
આ પણ વાંચો – Savar Kundla ની જમીન પર જોવા મળ્યું અયોધ્યાનું રામ મંદિર
આ પણ વાંચો – Ayodhya: કેવી રીતે જશો અયોધ્યા? કેવી છે ત્યાંની વ્યવસ્થા? જાણો સંપૂર્ણ વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ