હિન્દુ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ ઉદ્દીન મોલ્લાએ હિન્દુઓ અને મંદિરના પૂજારીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય આફતાબની 7 નવેમ્બરે ગુવાહાટીથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ ધારાસભ્ય વાજેદ અલી ચૌધરીના ઘરે હતા. હિંદુ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આફતાબે ગોલપારામાં એક જાહેર સભામાં કહ્યું હતું કે, ‘જ્યાં હિંદુઓ છે, ત્યાં ખોટું થાય છે. મંદિરના પૂજારી અને નામઘરના રખેવાળ બળાત્કારી છે.
કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ વિરુદ્ધ આ નિવેદન અંગે દિસપુર સ્ટેશન પર કલમ 295(a), 153A(1)(b)/505(2)IPC હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. આસામ કોંગ્રેસે તેના ધારાસભ્યને કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી. આસામ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જલેશ્વર સીટના ધારાસભ્ય આફતાબ ઉદ્દીનની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘મને માત્ર શરમ નથી, હું મારી જાતની નિંદા પણ કરું છું’, મહિલાઓ અંગેના વિવાદાસ્પદ નિવેદન બદલ નીતિશે ગૃહમાં માંગી માફી