વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત માટે તેના પ્રદેશના દરેક ભાગમાં G-20 બેઠકોનું આયોજન કરવું સ્વાભાવિક છે. કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં આયોજિત કેટલાક કાર્યક્રમો પર ચીનના વાંધાને નકારી કાઢતા તેમણે આ વાત કહી. વૈશ્વિક મંચ પર ભારતની સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતાને પ્રદર્શિત કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે, મોદી સરકારે દેશભરમાં G-20 કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
ભારતે ચીનના દાવાને ફગાવી દીધો છે
ચીન, જે G-20 ના સભ્ય છે, અને પાકિસ્તાન, જે જૂથના સભ્ય નથી, તેમણે કાશ્મીરમાં કાર્યક્રમ યોજવાના ભારતના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને તેઓ ‘વિવાદિત’ કહે છે. ચીન અરુણાચલ પ્રદેશ પર ભારતના સાર્વભૌમત્વ સામે પણ વાંધો વ્યક્ત કરે છે. ચીન અને પાકિસ્તાનના દાવાને ભારત પહેલા જ ફગાવી ચૂક્યું છે.
પીએમ મોદીએ આ રીતે ચીનની બોલાતી બંધ કરી
પીએમ મોદીએ ગયા અઠવાડિયે એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આવો સવાલ માન્ય હોત જો અમે તે સ્થળોએ સભાઓ કરવાનું ટાળ્યું હોત. આપણો દેશ ઘણો વિશાળ, સુંદર અને વૈવિધ્યસભર છે. જ્યારે G20 બેઠકો થઈ રહી છે, ત્યારે શું તે સ્વાભાવિક નથી કે બેઠકો આપણા દેશના દરેક ભાગમાં યોજાય.
60 શહેરોમાં 220 થી વધુ બેઠકો
ભારતે 22 મેથી ત્રણ દિવસ માટે શ્રીનગરમાં પ્રવાસન પર G20 કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે ચીન સિવાય જી-20 દેશોના તમામ પ્રતિનિધિઓએ મનોહર ખીણની મુલાકાત લીધી હતી. માર્ચમાં G20 કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં પ્રતિનિધિઓએ અરુણાચલ પ્રદેશની મુલાકાત પણ લીધી હતી. ત્યારે ભારતે ચીનના દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તે પોતાના ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છે.
મોદીએ કહ્યું કે ભારતનો G20 પ્રમુખપદનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 60 શહેરોમાં 220 થી વધુ બેઠકો થઈ ચૂકી હશે. તેમણે કહ્યું કે લગભગ 125 રાષ્ટ્રીયતાના એક લાખથી વધુ સહભાગીઓ ભારતીયોની કુશળતાના સાક્ષી બનશે.
આ પણ વાંચો : Rajya Sabha Elections : BJP એ પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માને રાજ્યસભા પેટાચૂંટણી માટે નામાંકિત કર્યા