Download Apps
Home » તમે જાણો છો શું છે CAA ? આ રહી સંપૂર્ણ વિગતો

તમે જાણો છો શું છે CAA ? આ રહી સંપૂર્ણ વિગતો

નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજ રાતથી દેશમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે CAA નિયમોનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ કાયદો 2019માં પસાર થયો હતો અને દેશભરમાં તેની સામે ભારે વિરોધ થયો હતો. જણાવી દઈએ કે, ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્ટિ કરી હતી કે CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે.

CAA વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું તે કર્યું

ગૃહમંત્રી અમિત શાહે 27 ડિસેમ્બરે કહ્યું હતું કે CAAના અમલીકરણને કોઈ રોકી શકે નહીં કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં ભાજપની બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે, CAA નો અમલ એ પાર્ટીની પ્રતિબદ્ધતા છે. ત્યારે ચૂંટણી પહેલા તેને લાગુ કરવાની ચર્ચાએ હવે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, કેન્દ્રિય ગૃહમંત્રીએ જે કહ્યું હતું તે જ કર્યું. જણાવી દઇએ કે, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ 5 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી અને ન તો કેન્દ્ર સરકારે તેના નિયમો જાહેર કર્યા છે. હવે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, તેમાં આવી કોઈ જોગવાઈ નથી. નાગરિકતા આપવાનો આ કાયદો છે.

તમે જાણો છો શું છે CAA ?

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના અમલીકરણ સાથે, પડોશી દેશોના લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવી સરળ બનશે. CAA હેઠળ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અત્યાચારી બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયો) ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. કાયદા હેઠળ, ફક્ત આ ધર્મના લોકો જે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયા છે, તેમને નાગરિકતા આપવામાં આવશે. વળી કાયદા અનુસાર, CAA હેઠળ ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત CAA હેઠળ લાભ મળશે. CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. જોકે, કાયદો હજુ અમલમાં આવ્યો નથી અને તેના અમલ માટે નિયમો જરૂરી છે. સંસદ દ્વારા CAA પસાર થયા પછી, દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે દેખાવો થયા હતા. દેખાવો દરમિયાન અને પોલીસ કાર્યવાહીમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

CAA હેઠળ અરજી કરવાની પ્રક્રિયા શું છે?

કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, CAA હેઠળ અરજી પ્રક્રિયા ઓનલાઈન હશે. નાગરિકતા આપવા માટે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય નાગરિકતા માટે અરજી કરનારાઓએ તેઓ કયા વર્ષમાં ભારતમાં રહેવા આવ્યા હતા તે દર્શાવવું પડશે. એ અલગ વાત છે કે અરજદારો પાસેથી કોઈ અધિકૃત દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અગાઉ 2019માં નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. સંસદ દ્વારા પસાર થયાને 5 વર્ષ વીતી ગયા છે. CAAને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. તેનો અર્થ એ કે CAA નો રસ્તો લગભગ સાફ છે. જો કે અત્યાર સુધી પાડોશી દેશોમાંથી દેશમાં આવતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા મળી રહી છે, પરંતુ CAA લાગુ થવાથી લઘુમતીઓને કાયદાકીય અધિકારો મળશે. CAA હેઠળ નાગરિકતા મેળવવા માટે, લઘુમતીઓએ ઔપચારિક રીતે અરજી કરવી પડશે. આ પછી, તેઓએ એ પણ સાબિત કરવું પડશે કે તેઓ ધાર્મિક ઉત્પીડન અથવા ત્રાસને કારણે પડોશી દેશમાંથી આવ્યા છે.

CAA અરજીની પ્રક્રિયા
  • CAA નો ઉદ્દેશ્ય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવેલા સતાવાળા બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે.
  • એકવાર CAA લાગુ થઈ જાય પછી, અરજદારોએ નાગરિકતા માટે અરજી કરવા માટે ઑનલાઇન પોર્ટલને ઍક્સેસ કરવાની જરૂર પડશે.
  • અરજદારોએ પ્રવાસ દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ્યા તે વર્ષનો ઉલ્લેખ કરવો આવશ્યક છે અથવા જો તેમના દસ્તાવેજો હવે માન્ય નથી.
  • હાલમાં અરજદારોને અન્ય કોઈ દસ્તાવેજની જરૂર રહેશે નહીં.
કેવી રીતે અરજી કરવી?

ભારતીય નાગરિકતા મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર, અરજદારોએ તે વર્ષ દર્શાવવાનું રહેશે જ્યારે તેઓ કોઈપણ દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ્યા હતા. નાગરિકતા મેળવવા માટે અરજદારો પાસેથી કોઈપણ પ્રકારના દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. પાત્ર વિસ્થાપિત વ્યક્તિઓએ માત્ર ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય અરજીની તપાસ કરશે અને અરજદારને નાગરિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA

આ પણ વાંચો – PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટી ઘોષણા, સાડા પાંચ વાગે છે સંબોધન

આ પણ વાંચો – Electoral Bonds પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBI ની અરજી ફગાવી, 12 માર્ચ સુધીમાં ડેટા આપવા કહ્યું…

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ