સૂકી ઉધરસ
6 ગ્રામ કાળા મરીનો પાવડર, 1 ચમચી સાકર અને 2 ચમચી દહીં મિક્સ કરીને ખાવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.
શરદી-કફ
- શરદીથી છુટકારો મેળવવા માટે 15 તુલસીનાં પાન, 10 કાળાં મરી મિક્સ કરીને ચા પીવાથી આરામ મળે છે.
- 100 ગ્રામ ગોળ ઓગાળીને 20 ગ્રામ કાળાં મરીનો પાઉડર મિક્સ કરો. ઠંડું થાય એટલે એમાંથી નાના-નાના બોલ બનાવી લો. ભોજન લીધા પછી 2 ગોળી લેવાથી ઉધરસમાં આરામ મળે છે.
- એક ચમચી મધમાં 2-3 પીસેલા કાળાં મરી અને ચપટી હળદર ભેળવીને લેવાથી શરદીમાં થતા કફમાં રાહત મળે છે.
તાવ
કાળાં મરી, તુલસીનાં પાન અને ગિલોયને પાણીમાં ઉકાળી આ ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
- ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી શરદી મટે છે.
- લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી શરદી મટે છે.
- ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી શરદી, કફ અને ઉધરસ મટે છે.
- સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દીવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.