દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં
મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. શુક્રવારે સ્વાસ્થ્ય
અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક એડવાઈઝરી જારી કરી
છે. ખાસ વાત એ છે કે કેરળમાં મળી આવેલ વ્યક્તિ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યો
હતો. આ પછી કેન્દ્ર સરકારે રાજ્યની મદદ માટે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા
અનુસાર, આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓએ એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ બીમાર છે, જેમને ત્વચા અથવા ગુપ્તાંગ પર
ઘા છે. મંત્રાલયે ક્રિમ, લોશન, પાઉડર જેવા ઉત્પાદનોનો ઉપયોગ
ટાળવા કહ્યું છે જે આફ્રિકાથી આવે છે, પછી ભલે તે જંગલી પ્રાણીઓના
માંસમાંથી બનાવેલ હોય કે તૈયાર કરવામાં આવે. આ સાથે જંગલી પ્રાણીઓથી અંતર રાખવાનું
પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે બીમાર લોકો અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં
આવતી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા
જ્યોર્જે કહ્યું હતું કે વિદેશથી રાજ્ય પરત ફરેલા 35 વર્ષના એક વ્યક્તિને
મંકીપોક્સના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં
વ્યક્તિમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ. કેરળ મોકલવામાં આવેલી કેન્દ્રીય ટીમમાં
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), રામ મનોહર લોહિયા હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાતો અને
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કેરળના પ્રાદેશિક આરોગ્ય અને પરિવાર
કલ્યાણ કાર્યાલયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
(ડબ્લ્યુએચઓ) મુજબ, મંકીપોક્સ
એ વાયરલ ઝૂનોસિસ (પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલ વાયરસ) છે, જેમાં શીતળા જેવા લક્ષણો છે. જો
કે, તબીબી
દ્રષ્ટિકોણથી તે ઓછું ગંભીર છે.
,