Home » વેજલપુરમાં આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, ત્રિપુરાની બે યુવતીઓ સામે નામજોગ ફરિયાદ
વેજલપુરમાં આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, ત્રિપુરાની બે યુવતીઓ સામે નામજોગ ફરિયાદ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
થોડા સમય પહેલાં વેજલપુરમાં ત્રિપુરાના યુવકની એક ફ્લેટમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ લાશ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં પ્રેમમાં પાગલ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જોકે મૃતકના પિતાએ ત્રિપુરામાં ફરિયાદ કરતા તપાસ વેજલપુર પોલીસને ટ્રાન્સફર કરાઈ છે. જેથી પોલીસ ફરી ફરીવાર આ ગુનાની તપાસ શરૂ કરી છે.
વેજલપુર (Vejalpur) માં આવેલ શ્રી નંદનગર 4 માં બે માસ પહેલા ત્રિપુરાના યુવક બી ખાશુહરાની તેના મહિલા મિત્રના ઘરે એક રૂમમાં ગળેફાસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લટકી જતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે હવે આ કેસમાં મૃતકના પિતાએ ત્રિપુરામાં બે યુવતી વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. જેમાં ઘટના વેજલપુર વિસ્તારમાં બની હોવાથી ફરિયાદ ટ્રાન્સફર થઈ વેજલપુર પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મૃતકના પિતાએ ઉલ્લેખ કર્યો છે કે મૃતક બી ખાશુહરાવ અને લાલ હરિતપુઇ ઉર્ફે નેન્સી શ્રી લાવમા ઉર્ફે હમસારી બન્ને એક ગામના હોવાથી પ્રેમસંબંધ હતો જે બાદ બન્ને વચ્ચે સંબંધ તૂટી ગયો હતો પરતું તેમનો દીકરો તે છોકરીના પ્રેમમાં પાગલ હતો જેને લઈ પ્રેમિકા અને તેની મિત્રએ તેમના દીકરાની હત્યા કરી હોવાની આશંકા લઈ ફરિયાદ દાખલ કરાવી છે.
મૃતક યુવક બી ખાશુહરાવ અને પ્રેમિકા લાલ હરિતપુઇ ઉર્ફે નેન્સી શ્રી લાવમા તેની મિત્ર રેમસંગપુઈ ઉર્ફે કીમકીમ લાવમા આ ત્રણે લોકો ત્રિપુરાના વતની છે. આરોપ લાગનાર બન્ને યુવતી વેજલપુર શ્રીનંદ નગરમાં ભાડે રહેતી અને સ્પામાં કામ કરતી હતી. જોકે મૃતક અને પ્રેમિકા લાલ હરિતપુઈ ઉર્ફે નેન્સી શ્રી લાવમાં સાથે પ્રેમસંબંધ હતો જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેને લઈ મૃતક યુવક બી ખાશુહરાવ 22 મેના રોજ પ્રેમિકાના ઘરે મળવા ગયો હતો. પણ યુવતી તેની સાથે વાતચીત કરતી ન હતી અને યુવકે રાત્રે રોકાઈ જવાનું કહ્યું અને ઘરે ના ગયો જે બાદ મૃતક યુવકે એક રૂમમાં પંખે લટકેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં વેજલપુર પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં યુવકે પ્રેમમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ હત્યાની ફરિયાદ થતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject