Download Apps
Home » કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે

કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવાશે

  • હવે 17 સપ્ટેમ્બર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન
  • ‘શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય’
  • સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી
  • નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું
  • 1947 બાદ 13 મહિના સુધી ચાલી હતી લડાઈ
  • ઓપરેશન પોલો બાદ હૈદરાબાદ મુક્ત થયું હતું

HYDERABAD : કેન્દ્ર સરકારે (CENTRAL GOVERNMENT) નિર્ણય લીધો છે કે, તે દર વર્ષે 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ (HYDERABAD FREEDOM DAY) ઉજવશે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (HOME MINISTRY) એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારનું કહેવું છે કે, આ માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, જે હવે પૂરી થઈ રહી છે.

13 મહિના સુધી મુક્ત થયું ન હતું

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળ્યા પછી પણ હૈદરાબાદ 13 મહિના સુધી મુક્ત થયું ન હતું અને તે નિઝામના શાસન હેઠળ હતું. ‘ઓપરેશન પોલો’ નામની પોલીસ કાર્યવાહી બાદ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ આ વિસ્તારને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.”

યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજજ્વલિત થશે

ગૃહ મંત્રાલયે કહ્યું કે, હૈદરાબાદની નિઝામશાહી હેઠળના વિસ્તારોના લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે, દર વર્ષે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે. આ માંગને સ્વીકારીને સરકારે 17 સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આનાથી યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજજ્વલિત થશે અને આ ક્ષેત્રને સ્વતંત્ર કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું તે સન્માન હશે.

ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, દેશની સ્વતંત્રતા બાદ હૈદરાબાદના નિઝામે ભારતમાં વિલીનીકરણ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હૈદરાબાદનો નિઝામ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને પાકિસ્તાન સાથે વિલીનીકરણની ધમકી આપતો હતો. આ પછી ‘ઓપરેશન પોલો’ દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું.

સરકાર હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો તેને 1.5 કરોડ હિંદુઓના અસ્થિ અને રાખ મળશે

નિઝામે નેહરુ સરકારને ભારતમાં વિલીનીકરણ અંગે ઘણી હેરાનગતિ કરી હતી. નિઝામે જાહેરાત કરી હતી કે, સ્વતંત્રતા પછી તે બ્રિટિશ કોમનવેલ્થના સભ્ય બનીને અલગ રાજ્યનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માંગે છે. તેનો કમાન્ડર કાસિમ રઝવી હતો, જે ઇત્તિહાદ-એ-મુસ્લિમીન (હવે AIMIM તરીકે ઓળખાય છે)નો પ્રમુખ હતો. તેણે ધમકી આપી હતી કે, જો ભારત સરકાર હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો તેને 1.5 કરોડ હિંદુઓના અસ્થિ અને રાખ મળશે.

લોહી અને પરસેવાથી બનેલા ભારતને એક દાગને કારણે બરબાદ થવા દેવામાં નહીં આવે

તેના પર સરદાર પટેલે કહ્યું હતું કે, જો આવું હશે તો તે નિઝામ અને તેના આખા પરિવારના મૂળને નષ્ટ કરી દેશે. સરદારે કહ્યું કે, હૈદરાબાદને અન્ય રાજ્યોની જેમ જ વિલિન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સેનાનીઓના લોહી અને પરસેવાથી બનેલા ભારતને એક દાગને કારણે બરબાદ થવા દેવામાં નહીં આવે.

મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યા હતા

ભારતના લશ્કરી હસ્તક્ષેપ પહેલા નિઝામની સેનાએ હિંદુઓ પર ઘણા અત્યાચારો કર્યા હતા, મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યા હતા. બ્રાહ્મણો માર્યા ગયા. આ તમામ અત્યાચારોને લોકો સમક્ષ લાવવા માટે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તેનું નામ જ ‘રઝાકાર’ રાખવામાં આવ્યું છે .

આ પણ વાંચો — Elections 2024 : ભોજપુરી અભિનેતા પવન સિંહે ચૂંટણી લડવા હવે શું કર્યું ?

દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર