Home » આ જોઇને જેનું લોહી ના ઉકળે…! જાણો કેમ ગુસ્સે થયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
આ જોઇને જેનું લોહી ના ઉકળે…! જાણો કેમ ગુસ્સે થયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
164
દિલ્હીમાં સાક્ષીની હત્યાની હોરર સ્ટોરીને લોકો લવ જેહાદ કહી રહ્યા છે. હંમેશા હિંદુ રાષ્ટ્રની વાત કરનાર બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ સાક્ષીની ઘાતકી હત્યા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ જોઈને જેનું લોહી ઉકળે નહીં તે તો મરી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ચાલતા રસ્તા પર એક સગીર હિંદુ છોકરી પર પાગલ દ્વારા તીક્ષ્ણ છરીથી 21 વાર હુમલો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પણ તેને સંતોષ ના થતાં તેણે તે છોકરીનું માથું પથ્થરથી કચડી નાખ્યું હતું.
સાક્ષીની હત્યા પર બાગેશ્વર બાબાએ શું કહ્યું?
બાગેશ્વર બાબાએ સાક્ષીની હત્યા પર કહ્યું છે કે સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુઃખી છું. આ જોઈને જેનું લોહી ઉકળે નહીં તે તો મરી ચૂક્યો છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે લોકો અમને કટ્ટરવાદી કહે છે. લોકો અમને કહે છે કે અમે વિવાદાસ્પદ વાત કરીએ છીએ, તોફાનીઓની જેમ વાત કરીએ છીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જેનું લોહી પોતાની બહેનોની આવી હાલત જોઈને ઉકળે નહીં. અને જેનું લોહી આ જોઈને ઉકળતું નથી તે મરી ગયો છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ કરીએ છીએ. તેથી જ આપણે કહીએ છીએ કે આપણું સનાતન મારવાનું શીખવતું નથી, બચાવવાનું શીખવે છે.
સાહિલને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો
જણાવી દઈએ કે આરોપી સાહિલની ધરપકડ કર્યા બાદ યુપી પોલીસ તેને બુલંદશહેરથી દિલ્હી લાવી રહી છે. બીજી તરફ સાક્ષીના માતા-પિતા તેમની પુત્રીની હત્યા બાદ ખૂબ જ પરેશાન છે. તેઓએ સાહિલને ફાંસી આપવાની માંગ કરી છે. સાક્ષીનો આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. પિતાએ કહ્યું કે તે સાહિલને ઓળખતા નથી, તેને સખત સજા થવી જોઈએ. સમાચાર છે કે સાક્ષીના હત્યારા સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. રોહિણી કોર્ટે સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.
આ પણ વાંચો—WEATHER UPDATE : અરબ સાગરમાં એક મોટું વાવાઝોડુ ઉદ્ભવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી મોટી આગાહી
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject