ઉત્તરાખંડમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચારધામ યાત્રા પર જઈ રહેલા ભક્તોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેદાર ઘાટીમાં ખરાબ હવામાનના કારણે યાત્રાને ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસ સુધી કેદારઘાટીમાં પ્રતિકૂળ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે નોંધણી 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવી છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.
આ વર્ષે કેદારનાથ ધામના દરવાજા 25મી એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. દેશમાંથી 4 મે સુધીમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. ઉત્તરાખંડ સરકાર વર્ષ 2013ની આપત્તિમાંથી બોધપાઠ લઈને ચારધામ યાત્રા ખાસ કરીને કેદારનાથ યાત્રા, ઉપરના ગઢવાલ હિમાલય પ્રદેશમાં સતત પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે અત્યંત સાવધાની રાખી રહી છે.
મહત્વનું છે કે, ભારે હિમવર્ષા અને વરસાદને કારણે બુધવારે માત્ર કેદારનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી નથી, પરંતુ ધામ તરફ આવતા યાત્રિકોને ઋષિકેશ, શ્રીનગર, ફાટા, ગૌરીકુંડ સહિતના વિવિધ હોલ્ટ પર રોકી દેવામાં આવ્યા છે. જો કે ગઈકાલે હવામાનમાં થોડો સુધારો થતાં કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘The kerala story’એ કેરળમાં આતંકી ષડયંત્રનો ખુલાસો કર્યો : PM MODI