MGNREGA ના બદલે કેન્દ્ર સરકાર 'VB-G RAM G' યોજના લાવશે, 125 દિવસના રોજગારની હશે ગેરંટી
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને નાબૂદ કરીને તેના સ્થાને 'વિકાસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) 2025' (VB-G RAM G) બિલ લાવવા તૈયાર છે. આ નવો કાયદો ગ્રામીણ પરિવારને દર વર્ષે 125 દિવસના વેતન રોજગારની બંધારણીય ગેરંટી આપશે, જેમાં સમયસર ચુકવણી ન થવા પર બેરોજગારી ભથ્થાની જોગવાઈ છે. ભાજપે આ બિલ માટે તેના સાંસદોને વ્હીપ જારી કર્યો છે.
Live Tv
Kinjal Dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર, આંતરજ્ઞાતિય લગ્ન બાબતે ચર્ચા શરૂ
સિંગર કિંજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય શરૂ થયો છે.
MGNREGA ના બદલે કેન્દ્ર સરકાર 'VB-G RAM G' યોજના લાવશે, 125 દિવસના રોજગારની હશે ગેરંટી
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને નાબૂદ કરીને તેના સ્થાને 'વિકાસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) 2025' (VB-G RAM G) બિલ લાવવા તૈયાર છે. આ નવો કાયદો ગ્રામીણ પરિવારને દર વર્ષે 125 દિવસના વેતન રોજગારની બંધારણીય ગેરંટી આપશે, જેમાં સમયસર ચુકવણી ન થવા પર બેરોજગારી ભથ્થાની જોગવાઈ છે. ભાજપે આ બિલ માટે તેના સાંસદોને વ્હીપ જારી કર્યો છે.
યુક્રેનના ઝેલેન્સકીએ પીછેહઠ કરવાની તૈયારી દર્શાવતા 'ગેરંટી' માંગી, જાણો વિગતવાર
રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને રોકવા માટે હવે ઝેલેન્સકી તત્પર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝેલેન્સકી તાજેતરમાં બર્લિનમાં પહોંચ્યા છે. જ્યાં તેમણે નાટો માંથી જોડાણના પ્રયત્નો રોકવા માટેના સંકેતો આપ્યા છે. સાથે જ ગેરંટી માંગી છે. તથા અમેરિકાને દબાણ નહીં કરવા માટેનું સૂચન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Bollywood Unluckiest Title: બોલીવુડનું "અનકલી" શીર્ષક, જેના કારણે 9 ફિલ્મો ધોવાઇ કેટલીક ફિલ્મો ગાયબ થઈ
Bollywood Unluckiest Title: બોલીવુડથી લઈ દક્ષિણ સુધી, એક જ શીર્ષક હેઠળ અનેક ફિલ્મો બની છે, જેમાં વિવિધ પાત્રો અને વાર્તાઓ છે. ક્યારેક એક જ નામ બધી ફિલ્મો માટે નસીબદાર સાબિત થયું, તો ક્યારેક કમનસીબ. અહીં, અમે તમને એક એવી ફિલ્મ શીર્ષક વિશે જણાવીશું, જેના આધારે નવ ફિલ્મો બની હતી, જે બધી ફ્લોપ ગઈ. એક ફિલ્મના સ્ટારની કારકિર્દી ડૂબી ગઇ, બીજો ડિપ્રેશનમાં ગયો, અને બીજી ફિલ્મના નિર્માતાઓ નાદાર થઈ ગયા.
ફોર્મથી દૂર છતાં કેપ્ટન તરીકે Suryakumar Yadav ની મજબૂત આગેવાની! જાણો ખરાબ ફોર્મ વિશે શું કહ્યું
ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લા થોડા સમયથી શાંત છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં વર્લ્ડ નંબર વન બેટ્સમેન રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. T20 વર્લ્ડ કપ નજીક હોવાથી તેનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે, જોકે કેપ્ટન તરીકે તેનું આત્મવિશ્વાસ અડગ છે.
Silver Price : ચાંદીની ચમક વધી ! માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો, જાણો નવા ભાવ
2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ ₹3,000નો વધારો થયો છે અને તે ₹1.95 લાખ પ્રતિ કિલો નજીક પહોંચી છે. સાથે જ સોનાના ભાવ પણ તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા છે.
હિંદુઓ ઘટતા જાય છે, આપણામાં વિભાજન છેઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
Mehsana: મહેસાણા ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 30-40 વર્ષથી હિંદુઓની સંખ્યા ઘટતી જાય છે.
Winter Clothes: શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું જોઈએ કે નહીં?, જાણો
Winter Clothes: શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી શરીરનું તાપમાન વધે છે, જે ઊંઘના ચક્રમાં ખલેલ પહોંચાડે છે અને બેચેની વધારે છે. વધુ પડતી ગરમીને કારણે પરસેવો અને ડિહાઇડ્રેશન થાય છે, જે ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળનું જોખમ પણ વધારે છે. નિષ્ણાતો આ આદત ટાળવાની સલાહ આપે છે.
Rashifal 15 December 2025: શુભ યોગ રચાતા આ રાશિઓને મળશે લાભદાયી પ્રગતિ
Rashifal 15 December 2025: જ્યોતિષ ગણતરી મુજબ, 15 ડિસેમ્બરનું જન્માક્ષર વૃષભ રાશિ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. જોકે, મેષ, કર્ક અને કન્યા રાશિના લોકોને તેમના કાર્યમાં નસીબ અને પ્રગતિ મળશે. આનું કારણ એ છે કે ચંદ્ર ચિત્રાથી વિશાખા નક્ષત્રમાં તુલા રાશિમાં ગોચર કરશે. તો, શુભ યોગોના પ્રભાવને કારણે મેષથી મીન સુધીની બધી રાશિઓ માટે આજનો શુભ દિવસ કેવો રહેશે.
ઓસ્ટ્રેલિયામાં બનેલી ગોળીબારની ઘટના વિશે Grok એ આપ્યા ખોટા જવાબ! થઇ રહી છે ખૂબ ટીકા
ઓસ્ટ્રેલિયામાં થયેલી ગોળીબારની ગંભીર ઘટનાને લઈને એલોન મસ્કના AI ચેટબોટ Grok પર ભારે ટીકા થઈ રહી છે. બ્રેકિંગ ન્યૂઝ દરમિયાન Grok દ્વારા આપવામાં આવેલા ખોટા અને ભ્રામક જવાબોએ લોકોમાં મૂંઝવણ ફેલાવી છે. આ ઘટનાએ સંવેદનશીલ સમાચાર સમયે AIની વિશ્વસનીયતા અને જવાબદારી અંગે મહત્વના સવાલો ઉભા કર્યા છે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Gujarat: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ રૂ.30 લાખની લાંચ લેતા ઝડપાયા
Gujarat: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ રૂપિયા 30 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ગાંધીનગરના સરગાસણમાં ACBની સફળ ટ્રેપ રહી છે. કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી









